યુવતીને ભગાડી જનાર હેડ કોન્સ્ટેબલ સામે ચકલાસી પોલીસે ફરિયાદ ન લીધી, અંતે પિતાએ નડિયાદ કોર્ટમાં ધા નાખી


  • Published By :
  • Published Date : 2023-03-29 21:45:20

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ છે.જો કે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તે વખતે તેની ફરિયાદ પણ લેવાતી નથી. પોલીસને ફરિયાદ લેવામાં વાંધો શું હોય છે, તે સમજાતું નથી. તાજેતરમાં યુવતીને ભગાડી જવાના ગુનામાં એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચકલાસી પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીના પિતાને નડિયાદ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો.


સમગ્ર મામલો શું છે?


ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે  ફરજ બજાવતો ભરતસિંહ ચંદ્રસિંહ 27 વર્ષિય યુવતીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ સંતાનોનો પિતા એવો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માથાભારે અને મોટી રાજકીય વગ ધરાવે છે. આ જ કારણે યુવતીના પિતાએ સતત બે દિવસ સુધી ચકલાસી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તેમ છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. અંતે થાકી હારીને યુવતીના પિતાએ આજ રોજ નડિયાદ કોર્ટમાં કરી ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની યુવતીને હેડ કોન્સ્ટેબલે ભગાડી લઈ જઈને ગોંધી રાખી છે. 


કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું


યુવતીના પિતાએ આજ રોજ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કરી તેને યુવતી સાથે કોર્ટમાં હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહ હાલમાં જ હેડ કોન્સ્ટેબલ ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી ખેડા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહનો બકલ નંબર 850 છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.