યુવતીને ભગાડી જનાર હેડ કોન્સ્ટેબલ સામે ચકલાસી પોલીસે ફરિયાદ ન લીધી, અંતે પિતાએ નડિયાદ કોર્ટમાં ધા નાખી


  • Published By :
  • Published Date : 2023-03-29 21:45:20

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ છે.જો કે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તે વખતે તેની ફરિયાદ પણ લેવાતી નથી. પોલીસને ફરિયાદ લેવામાં વાંધો શું હોય છે, તે સમજાતું નથી. તાજેતરમાં યુવતીને ભગાડી જવાના ગુનામાં એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચકલાસી પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીના પિતાને નડિયાદ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો.


સમગ્ર મામલો શું છે?


ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે  ફરજ બજાવતો ભરતસિંહ ચંદ્રસિંહ 27 વર્ષિય યુવતીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ સંતાનોનો પિતા એવો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માથાભારે અને મોટી રાજકીય વગ ધરાવે છે. આ જ કારણે યુવતીના પિતાએ સતત બે દિવસ સુધી ચકલાસી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તેમ છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. અંતે થાકી હારીને યુવતીના પિતાએ આજ રોજ નડિયાદ કોર્ટમાં કરી ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની યુવતીને હેડ કોન્સ્ટેબલે ભગાડી લઈ જઈને ગોંધી રાખી છે. 


કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું


યુવતીના પિતાએ આજ રોજ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કરી તેને યુવતી સાથે કોર્ટમાં હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહ હાલમાં જ હેડ કોન્સ્ટેબલ ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી ખેડા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહનો બકલ નંબર 850 છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.