યુવતીને ભગાડી જનાર હેડ કોન્સ્ટેબલ સામે ચકલાસી પોલીસે ફરિયાદ ન લીધી, અંતે પિતાએ નડિયાદ કોર્ટમાં ધા નાખી


  • Published By :
  • Published Date : 2023-03-29 21:45:20

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ છે.જો કે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે તે કોઈ પોલીસ સ્ટેશનમાં જાય તે વખતે તેની ફરિયાદ પણ લેવાતી નથી. પોલીસને ફરિયાદ લેવામાં વાંધો શું હોય છે, તે સમજાતું નથી. તાજેતરમાં યુવતીને ભગાડી જવાના ગુનામાં એક હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ચકલાસી પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીના પિતાને નડિયાદ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો.


સમગ્ર મામલો શું છે?


ખેડા પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે  ફરજ બજાવતો ભરતસિંહ ચંદ્રસિંહ 27 વર્ષિય યુવતીને ભગાડી જતાં ચકચાર મચી ગઈ છે. ત્રણ સંતાનોનો પિતા એવો હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માથાભારે અને મોટી રાજકીય વગ ધરાવે છે. આ જ કારણે યુવતીના પિતાએ સતત બે દિવસ સુધી ચકલાસી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા તેમ છતાં પણ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી. અંતે થાકી હારીને યુવતીના પિતાએ આજ રોજ નડિયાદ કોર્ટમાં કરી ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારનો આરોપ છે કે તેમની યુવતીને હેડ કોન્સ્ટેબલે ભગાડી લઈ જઈને ગોંધી રાખી છે. 


કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યુ કર્યું


યુવતીના પિતાએ આજ રોજ હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ નડિયાદ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે હેડ કોન્સ્ટેબલ સામે વોરન્ટ ઈશ્યું કરી તેને યુવતી સાથે કોર્ટમાં હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહ હાલમાં જ હેડ કોન્સ્ટેબલ ચકલાસી પોલીસ સ્ટેશનમાંથી ખેડા હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદ્રસિંહનો બકલ નંબર 850 છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.