ચાંદલોડીયા ઓવર બ્રિજ રાહદારીઓ માટે જોખમી બન્યો, મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-07 14:56:25

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના ઓવર બ્રિજ ખખડધજ થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે હવે તેમના માટે જીવનું જોખમ સર્જાયું છે. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ રાહદારીઓ માટે ખતરનાક બન્યો છે.  ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પરનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનો રેલવે પોર્શન બે ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. હદ ત્યા થાય છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર,ઔડા કે રેલવે વિભાગના કોઈ કોઈપણ અધિકારી જોવા પણ આવતા નથી. 


8 કરોડના ખર્ચે બ્રિજની મરામત


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં 8 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાઇ હતી, ત્યારથી તેની નીચે ટેકા લગાવવામાં આવ્યા છે. બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.


8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ વર્ષ 1998માં રૂ. 8 કરોડના ખર્ચે ઔડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિને ચાંદલોડીયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.વર્ષ 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામા આવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.