ચાંદલોડીયા ઓવર બ્રિજ રાહદારીઓ માટે જોખમી બન્યો, મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-07 14:56:25

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના ઓવર બ્રિજ ખખડધજ થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે હવે તેમના માટે જીવનું જોખમ સર્જાયું છે. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ રાહદારીઓ માટે ખતરનાક બન્યો છે.  ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પરનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનો રેલવે પોર્શન બે ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. હદ ત્યા થાય છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર,ઔડા કે રેલવે વિભાગના કોઈ કોઈપણ અધિકારી જોવા પણ આવતા નથી. 


8 કરોડના ખર્ચે બ્રિજની મરામત


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં 8 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાઇ હતી, ત્યારથી તેની નીચે ટેકા લગાવવામાં આવ્યા છે. બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.


8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ વર્ષ 1998માં રૂ. 8 કરોડના ખર્ચે ઔડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિને ચાંદલોડીયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.વર્ષ 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામા આવ્યો હતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.