ચાંદલોડીયા ઓવર બ્રિજ રાહદારીઓ માટે જોખમી બન્યો, મ્યુનિસિપલ તંત્ર ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-07 14:56:25

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોના ઓવર બ્રિજ ખખડધજ થયા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારો લોકો પસાર થાય છે હવે તેમના માટે જીવનું જોખમ સર્જાયું છે. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી બન્યો છે, અમદાવાદના ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજનો નિર્ણયનગર તરફનો એક ભાગ રાહદારીઓ માટે ખતરનાક બન્યો છે.  ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ પરનો એક ભાગ હવે ટેકા ઉપર રહેલો છે. છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજનો રેલવે પોર્શન બે ભાગમાં ટેકા ઉપર રહેલો છે. હવે ધીરે ધીરે રોડ પર લગાવવામાં આવેલા ટેકા પણ ખસી રહ્યા છે. હદ ત્યા થાય છે કે અહીંયા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર,ઔડા કે રેલવે વિભાગના કોઈ કોઈપણ અધિકારી જોવા પણ આવતા નથી. 


8 કરોડના ખર્ચે બ્રિજની મરામત


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજની 7 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016માં 8 કરોડના ખર્ચે બ્રિજની મરામત કરાઇ હતી, ત્યારથી તેની નીચે ટેકા લગાવવામાં આવ્યા છે. બ્રિજની ઉપર અને નીચે બન્ને તરફ ટ્રાફિક થાય છે. બ્રિજની સ્થિતિ જોઈને લોકોને ડર લાગી રહ્યો છે. બ્રિજ પર ઘણી જગ્યાએ પર તિરાડો પડેલી જોવા મળી રહી છે. ઔડાના સમયમાં બનેલા બ્રિજમાં રેલવેના પોર્શન પાસે ટેકા મૂકવામાં આવ્યા છે. હવે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવશે તેને લઈને લોકોને સવાલો થઈ રહ્યા છે.


8 કરોડના ખર્ચે તૈયાર થયો હતો બ્રિજ


ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ વર્ષ 1998માં રૂ. 8 કરોડના ખર્ચે ઔડા દ્વારા રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા પ્રા.લિને ચાંદલોડીયા રેલવે બ્રિજ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 2000માં બ્રિજ બનીને તૈયાર થયો હતો.વર્ષ 2007માં આ વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં સમાવવામા આવ્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.