રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો! અનેક જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ! હજી બે દિવસ રહેશે વરસાદી માહોલ!


  • Published By :
  • Published Date : 2023-04-26 14:23:14

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યા માટે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. ત્યારે આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. આગામી 2 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતમાં તથા દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. 


આગામી 2 દિવસ કમોસમી વરસાદ પડવાના સંકેતો

રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપ્યા હતા. 26, 27 અને 28 તારીખ માટે આગાહી કરવામાં આવી હતી. 26 એપ્રિલે વરસાદ માટે કરવામાં આવેલી આગાહી સાચી પડી છે.     


આ જગ્યાઓ પર વરસશે કમોસમી વરસાદ!

હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠું વરસવાની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારે અરવલ્લી, પંચમહાલ અને વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતોજ્યારે 27 એપ્રિલને ગુરુવારના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ સહિતનાં શહેરોમાં તો 28 એપ્રિલને શુક્રવારના રોજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોડાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


ધરતીપુત્ર બન્યા ચિંતિત!

ખેડૂતોની હાલત એમ પણ દયનિય બની ગઈ છે. પોષણસમા ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતો ખેતરમાં લાગતા પાકની આશા પર બેસતા હોય છે. પરંતુ કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો ચિંતિત થયા છે. અનેક જગ્યાઓ પર વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતા હોય છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે