Gujaratમાં આવશે પરિવર્તન? Amit Chavdaએ કર્યા PM Modi પર પ્રહાર! Congressને 14 જેટલી બેઠકો મળવાનો અમિત ચાવડાએ આશાવાદ કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2024-05-15 11:23:02

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ચાર તબક્કા અંતર્ગત મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે મતદાનનું પરિણામ આવવાનું છે.. ખરાખરીનો જંગ જામ્યો છે રાજકીટ પાર્ટીઓ વચ્ચે.. ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે.. 

ભાજપ પર અમિત ચાવડાએ કર્યા પ્રહાર 

એક તરફ ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે 26એ 26 બેઠકો પર ભાજપ જીતશે તો બીજી તરફ કોંગ્રેસના અમિત ચાવડાએ પણ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની 14 જેટલી બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થવાનો છે... અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપમાં ચાલતા આંતરિક ડખા પર વાત કરી હતી ઉપરાંત ઉમેદવારો બદલવા અંગે પણ વાત કરી હતી..        


કેન્દ્ર સરકારના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે... 

નિવેદન આપતા તેમણે કહ્યું કે ભાજપના એક પણ નેતા મીડિયા સમક્ષ આવતા ડરી રહ્યા છે.. કારણ કે સમગ્ર ગુજરાતમાં જે રીતે લોકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે, જે રીતે ગુજરાતથી શરૂ કરીને આખા દેશમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે, એ જોતા એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ 2004ની ચૂંટણીના જે પરિણામ આવ્યા હતા એથી પણ સારા પરિણામ કોંગ્રેસ માટે આવવા જઈ રહ્યા છે. લોકો છેલ્લા 10 વર્ષની કેન્દ્ર સરકારનું જે શાસન છે એ કોઈ યોજનાઓ, કાયદા કાનૂન કે વિકાસ કે લાભ માટેનું નહીં ફક્ત જુમલા અને ભાષણોનું રાજ રહ્યું. 

એના આધારીત જે પરિવર્તન માટે મત કર્યો છે અને એનું પરિણામ આવનારી ચાર તારીખે તમે જોશો તો ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર કોંગ્રેસને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. તે સિવાય તેમણે પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું.. તેમણે કહ્યું કે દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.. જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે બહુમતી બેઠકો એટલે કેટલી બેઠકો તો તેમણે જવાબ આપ્યો કે 14 કરતા વધારે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને લોકોના આશીર્વાદ મળવા જઈ રહ્યા છે. ત્યારે પરિણામ શું આવે છે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે