કચ્છ રણોત્સવની મોજ માણવા ઈચ્છુક લોકો માટે શરૂ કરાઈ ચાર્ટર્ડ સર્વિસ, જાણો કેટલું છે ભાડું?


  • Published By :
  • Published Date : 2023-01-12 15:20:46

રાજ્યનો કચ્છ પ્રદેશ દેશ અને વિદેશમાં લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે પણ લોકપ્રિય બન્યો છે. દેશ-વિદેશના લાખો સહેલાણીઓ દર વર્ષે કચ્છના ઐતિહાસિક સ્થળો અને ભાતીગળ સંસ્કૃતિ જોવા માટે આવે છે. તેમાં પણ કચ્છનું સફેદ રણ દનિયાભરના પર્યટકોને આકર્ષી રહ્યું છે. જો કે સફેદ રણ સુધી પહોંચવા માટે વાહનવ્યવહારની કોઈ ખાસ સુવિધા ન હોવાથી હવે ચાર્ટર્ડ સર્વિસ શરૂ થઈ છે.


કોણે શરૂ કરી ચાર્ટર્ડ સેવા?


રાજ્યની એક ખાનગી એવિયેશન કંપની વેસ્ટર્ન બર્ડ એવિયેશન સર્વિસ દ્વારા હવે ભુજ એરપોર્ટથી ધોરડો સફેદ રણ સુધી ચાર્ટર્ડ હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ માટે કંપની દ્વારા ધોરડો ખાતે બનાવાયેલ હેલિપેડ પર એક R66 હેલિકોપ્ટર મૂકવામાં આવ્યું છે, જેમાં પાઇલોટ ઉપરાંત એક સાથે ચાર પ્રવાસીઓ સફર માણી શકે છે. સામાન્યપણે ભુજથી સફેદ રણ સુધીનો 90 કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવામાં પ્રવાસીઓને દોઢ કલાક જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે પ્રવાસ પર સમય ન બગાડવા માગતા પર્યટકો માટે હવે ધોરડો હેલિપેડથી ભુજ એરપોર્ટ સુધીની ચાર્ટર્ડ સર્વિસ શરૂ કરવા પણ હાલ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેવા શરૂ કરવામાં આવી છે અને તે રણોત્સવના અંત સુધી ચાલુ રહેશે. 


હેલિકોપ્ટરનું ભાડું કેટલું છે?


ભુજ એરપોર્ટથી ધોરડો વચ્ચે શરૂ કરવામાં આવેલી આ ચાર્ટર્ડ સર્વિસ પ્રવાસીઓના સમયની અનુકૂળતાએ ભુજ એરપોર્ટ સાથે સંકલન કરી ઉડાન સમય નક્કી કરે છે. આ માટે એન્ડ ટુ એન્ડ ચાર્જ લેવામાં આવે છે, જેમાં ધોરડોથી ભુજ સુધી પ્રવાસીને મૂક્યા ઉપરાંત ભુજથી ધોરડો પહોંચવાનું ભાડું પણ આવરી લેવામાં આવે છે. કંપની દ્વારા આ સેવા માટે કલાક દીઠ રૂ. 1.05 લાખ ભાડું વસૂલવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.