જુઓ અલી-રિચાના પ્રી વેડિંગ સેરેમનીના ફોટો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:29:12

રિચા ચઢ્ઢા તથા અલી ફઝલે પ્રી વેડિંગ સેરેમનીની પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે.  થોડા દિવસમાં બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે ત્યારે આજે 30 સપ્ટેમ્બર એટલે આજે તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અલી ફઝલે અબુ જાની તથા સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા આઉટફિટ પહેર્યા છે અને રિચા ડિઝાઇનર રાહુલ મિશ્રાના કસ્ટમ મેડ આઉટિફટમાં છે.

 

કઈ રીતે મળ્યા અલી અને રિચા?

રિચા તથા અલી 2012માં 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. હવે બંને 'ફુકરે 3'માં સાથે જોવા મળશે. સાત વર્ષના ડેટિંગ બાદ અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને કારણે શક્ય બન્યું નહોતું.

 
સંગીતમાં આ ગીત પર કર્યો ડાન્સ !!!!!

અલી તથા રિચા 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. ફિલ્મને કારણે બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. સૂત્રોના મતે, એક્ટ્રેસે સંગીતમાં ફિલ્મનું ગીત 'અંબરસરિયા..' ગીત પર ડાન્સ કર્યો હતો. અલી ફઝલે 'નાયક નહીં ખલનાયક હૂ..' પર પર્ફોર્મ કર્યું હતું.

 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.