જુઓ અલી-રિચાના પ્રી વેડિંગ સેરેમનીના ફોટો !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:29:12

રિચા ચઢ્ઢા તથા અલી ફઝલે પ્રી વેડિંગ સેરેમનીની પહેલી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી છે.  થોડા દિવસમાં બંને લગ્નના બંધનમાં બાંધવા જઈ રહ્યા છે ત્યારે આજે 30 સપ્ટેમ્બર એટલે આજે તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. અલી ફઝલે અબુ જાની તથા સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા આઉટફિટ પહેર્યા છે અને રિચા ડિઝાઇનર રાહુલ મિશ્રાના કસ્ટમ મેડ આઉટિફટમાં છે.

 

કઈ રીતે મળ્યા અલી અને રિચા?

રિચા તથા અલી 2012માં 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. હવે બંને 'ફુકરે 3'માં સાથે જોવા મળશે. સાત વર્ષના ડેટિંગ બાદ અલીએ રિચાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંને 2020માં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાને કારણે શક્ય બન્યું નહોતું.

 
સંગીતમાં આ ગીત પર કર્યો ડાન્સ !!!!!

અલી તથા રિચા 'ફુકરે'ના શૂટિંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. ફિલ્મને કારણે બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી. સૂત્રોના મતે, એક્ટ્રેસે સંગીતમાં ફિલ્મનું ગીત 'અંબરસરિયા..' ગીત પર ડાન્સ કર્યો હતો. અલી ફઝલે 'નાયક નહીં ખલનાયક હૂ..' પર પર્ફોર્મ કર્યું હતું.

 

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી