ચુંટણીનું ચેકિંગ: રૂ. ૩૮ લાખના હીરાજડિત દાગીના મળ્યા,દાગીના સીઝ કરીને પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-11-12 16:07:35

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચારસાહિતા લાગુ થઈ છે જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે રેલવે એલસીબી પોલીસે શંકાના આધારે એક યુવકને પકડ્યો હતો અને તપાસ કરતાં તેની પાસેથી ૩૮ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના મળ્યા હતા.આ દાગીનાની હેરીફેરી કરવા ચુંટણી વિભાગની મંજૂરી ના હોવાથી આ દાગીનાઓને પોલીસે સીઝ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. આ યુવકનું નામ હિતેશ રાદડિયા છે જે મુંબઈમાં જવેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલરમાં કામ કરે છે. આ યુવક મુંબઈથી અંદાજિત રૂપિયા ૩૮ લાખની કિમતના દાગીના લઈને રાત્રિના સમયે કર્ણાવતી એક્ષપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં શું ખબર પડી ?

હિતેશ દાગીના લઈને જેવો સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેના પર પડી અને શંકાના આધારે તેની પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતાં તેમાંથી દાગીના મળ્યા હતા.અને પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. 10 લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.


ચુંટણી વિભાગની પરમીશન જરૂરી 

આ યુવક પાસે ૩૮ લાખના સોનાના દાગીનાના તમામ બિલ તો હતા પણ, તેની પાસે પરવાનગી નહોતી નિયમ પ્રમાણે આચારસાહિતા બાદ જો કોઈ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિમતના દાગીના, રોકડ રકમ હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા સહિત ચુંટણી વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીમાં કોઈ પૈસાની હેરાફેરી ન થાય તે માટે આચારસહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"