ચુંટણીનું ચેકિંગ: રૂ. ૩૮ લાખના હીરાજડિત દાગીના મળ્યા,દાગીના સીઝ કરીને પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-11-12 16:07:35

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચારસાહિતા લાગુ થઈ છે જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે રેલવે એલસીબી પોલીસે શંકાના આધારે એક યુવકને પકડ્યો હતો અને તપાસ કરતાં તેની પાસેથી ૩૮ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના મળ્યા હતા.આ દાગીનાની હેરીફેરી કરવા ચુંટણી વિભાગની મંજૂરી ના હોવાથી આ દાગીનાઓને પોલીસે સીઝ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. આ યુવકનું નામ હિતેશ રાદડિયા છે જે મુંબઈમાં જવેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલરમાં કામ કરે છે. આ યુવક મુંબઈથી અંદાજિત રૂપિયા ૩૮ લાખની કિમતના દાગીના લઈને રાત્રિના સમયે કર્ણાવતી એક્ષપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં શું ખબર પડી ?

હિતેશ દાગીના લઈને જેવો સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેના પર પડી અને શંકાના આધારે તેની પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતાં તેમાંથી દાગીના મળ્યા હતા.અને પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. 10 લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.


ચુંટણી વિભાગની પરમીશન જરૂરી 

આ યુવક પાસે ૩૮ લાખના સોનાના દાગીનાના તમામ બિલ તો હતા પણ, તેની પાસે પરવાનગી નહોતી નિયમ પ્રમાણે આચારસાહિતા બાદ જો કોઈ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિમતના દાગીના, રોકડ રકમ હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા સહિત ચુંટણી વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીમાં કોઈ પૈસાની હેરાફેરી ન થાય તે માટે આચારસહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.