ચુંટણીનું ચેકિંગ: રૂ. ૩૮ લાખના હીરાજડિત દાગીના મળ્યા,દાગીના સીઝ કરીને પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-11-12 16:07:35

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચારસાહિતા લાગુ થઈ છે જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે રેલવે એલસીબી પોલીસે શંકાના આધારે એક યુવકને પકડ્યો હતો અને તપાસ કરતાં તેની પાસેથી ૩૮ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના મળ્યા હતા.આ દાગીનાની હેરીફેરી કરવા ચુંટણી વિભાગની મંજૂરી ના હોવાથી આ દાગીનાઓને પોલીસે સીઝ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. આ યુવકનું નામ હિતેશ રાદડિયા છે જે મુંબઈમાં જવેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલરમાં કામ કરે છે. આ યુવક મુંબઈથી અંદાજિત રૂપિયા ૩૮ લાખની કિમતના દાગીના લઈને રાત્રિના સમયે કર્ણાવતી એક્ષપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં શું ખબર પડી ?

હિતેશ દાગીના લઈને જેવો સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેના પર પડી અને શંકાના આધારે તેની પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતાં તેમાંથી દાગીના મળ્યા હતા.અને પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. 10 લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.


ચુંટણી વિભાગની પરમીશન જરૂરી 

આ યુવક પાસે ૩૮ લાખના સોનાના દાગીનાના તમામ બિલ તો હતા પણ, તેની પાસે પરવાનગી નહોતી નિયમ પ્રમાણે આચારસાહિતા બાદ જો કોઈ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિમતના દાગીના, રોકડ રકમ હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા સહિત ચુંટણી વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીમાં કોઈ પૈસાની હેરાફેરી ન થાય તે માટે આચારસહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.