ચુંટણીનું ચેકિંગ: રૂ. ૩૮ લાખના હીરાજડિત દાગીના મળ્યા,દાગીના સીઝ કરીને પૂછપરછ


  • Published By :
  • Published Date : 2022-11-12 16:07:35

ગુજરાતમાં ચુંટણીની તારીખો જાહેર થતાં જ ગુજરાતમાં આચારસાહિતા લાગુ થઈ છે જેને લઈને પોલીસ એલર્ટ થઈ છે અને પોલીસ દ્વારા કડક ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે રેલવે એલસીબી પોલીસે શંકાના આધારે એક યુવકને પકડ્યો હતો અને તપાસ કરતાં તેની પાસેથી ૩૮ લાખ રૂપિયાના હીરાજડિત સોનાના દાગીના મળ્યા હતા.આ દાગીનાની હેરીફેરી કરવા ચુંટણી વિભાગની મંજૂરી ના હોવાથી આ દાગીનાઓને પોલીસે સીઝ કરી પૂછપરછ હાથ ધરાઇ છે. આ યુવકનું નામ હિતેશ રાદડિયા છે જે મુંબઈમાં જવેલરીનો વેપાર કરતી કલિસ્તા જ્વેલરમાં કામ કરે છે. આ યુવક મુંબઈથી અંદાજિત રૂપિયા ૩૮ લાખની કિમતના દાગીના લઈને રાત્રિના સમયે કર્ણાવતી એક્ષપ્રેસ ટ્રેનમાં સુરત આવ્યો હતો. 


પ્રાથમિક તપાસમાં શું ખબર પડી ?

હિતેશ દાગીના લઈને જેવો સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ પોલીસની નજર તેના પર પડી અને શંકાના આધારે તેની પૂછપરછ કર્યા બાદ બેગની તપાસ કરતાં તેમાંથી દાગીના મળ્યા હતા.અને પ્રાથમિક પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે આ દાગીના મુંબઇની બ્રાન્ચમાંથી સુરતની મહિધરપુરામાં આવેલી કલીસ્તા જ્વેલર્સની બ્રાન્ચમાં આપવાના હતા. 10 લાખથી વધુની કિંમતના દાગીના હોવાથી રેલવે પોલીસે આઇટી વિભાગ અને ચૂંટણી વિભાગને જાણ કરી હતી. હિતેશ પાસે દાગીના હતા પરંતુ ચૂંટણી વિભાગની પરમીશન ન હોવાથી તેના દાગીના સીઝ કરીને વધુ પુછપરછ કરાઈ છે.


ચુંટણી વિભાગની પરમીશન જરૂરી 

આ યુવક પાસે ૩૮ લાખના સોનાના દાગીનાના તમામ બિલ તો હતા પણ, તેની પાસે પરવાનગી નહોતી નિયમ પ્રમાણે આચારસાહિતા બાદ જો કોઈ વ્યક્તિ ૧૦ લાખથી વધુની કિમતના દાગીના, રોકડ રકમ હેરાફેરી કરે તો તેની પાસે તમામ પુરાવા સહિત ચુંટણી વિભાગની મંજૂરી હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ચુંટણીમાં કોઈ પૈસાની હેરાફેરી ન થાય તે માટે આચારસહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.