‘છેલ્લો શો’ ભારતીય ફિલ્મ છે જ નહીં ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:47:20

 

ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શોને ભારત દ્વારા ઓસ્કારમાં પ્રવેશ તરીકે મોકલવામાં આવી હતી. અંગ્રેજીમાં તેને ધ લાસ્ટ ફિલ્મ શો કહેવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને લઈને નવા વિવાદો થઈ રહ્યા છે. પહેલા મુદ્દો એ હતો કે આ ફિલ્મને RRR કરતાં શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું. જ્યારે RRR ઓસ્કાર જીતવાની શક્યતાઓ વધારે હતી. કારણ કે દુનિયાભરના દર્શકો એ ફિલ્મથી વાકેફ હતા. હવે એક નવો મુદ્દો ઉભો થયો છે. છેલ્લો શો  પર એવા આરોપો છે કે તે ભારતીય ફિલ્મ નથી. તો પછી તેને ઓસ્કારમાં કેમ મોકલવામાં આવ્યો? આ સાથે તેને વિદેશી ફિલ્મની નકલ પણ કહેવામાં આવી રહી છે

 

FWICEનો આક્ષેપ

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ નામની સંસ્થા છે. તેણે આરોપ લગાવ્યો કે 'છેલ્લો શો' ભારતીય ફિલ્મ નથી. કારણ કે આ ફિલ્મનો મુખ્ય નિર્માતા ઓરેન્જ સ્ટુડિયો છે. જે ફ્રેન્ચ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. ઓરેન્જ સ્ટુડિયોની વેબસાઈટ પર આ ફિલ્મને ભારત અને ફ્રાન્સની સંયુક્ત ફિલ્મ તરીકે પણ વર્ણવવામાં આવી છે. જોકે, આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સે ખરીદી લીધી છે. પરંતુ FWICE કહે છે કે જે ફિલ્મ ઇન્ટરનેશનલ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે, તે ભારતીય ફિલ્મ કેવી રીતે હોઈ શકે! અને જે ફિલ્મ ભારતીય નથી તેને ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા શા માટે મોકલવામાં આવી?

 

મૂવી પર આરોપ

FWICE 'છેલ્લો શો' પર ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 'સિનેમા પેરાડિસો' 1988માં રિલીઝ થઈ હતી. તેને ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. 'છેલ્લો  શો' અને 'સિનેમા પેરાડિસો'ના પોસ્ટરમાં પણ ઘણી સામ્યતા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.