‘છેલ્લો શો’ ભારતીય ફિલ્મ છે જ નહીં ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:47:20

 

ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શોને ભારત દ્વારા ઓસ્કારમાં પ્રવેશ તરીકે મોકલવામાં આવી હતી. અંગ્રેજીમાં તેને ધ લાસ્ટ ફિલ્મ શો કહેવામાં આવે છે. પરંતુ આ ફિલ્મને લઈને નવા વિવાદો થઈ રહ્યા છે. પહેલા મુદ્દો એ હતો કે આ ફિલ્મને RRR કરતાં શા માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું. જ્યારે RRR ઓસ્કાર જીતવાની શક્યતાઓ વધારે હતી. કારણ કે દુનિયાભરના દર્શકો એ ફિલ્મથી વાકેફ હતા. હવે એક નવો મુદ્દો ઉભો થયો છે. છેલ્લો શો  પર એવા આરોપો છે કે તે ભારતીય ફિલ્મ નથી. તો પછી તેને ઓસ્કારમાં કેમ મોકલવામાં આવ્યો? આ સાથે તેને વિદેશી ફિલ્મની નકલ પણ કહેવામાં આવી રહી છે

 

FWICEનો આક્ષેપ

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ નામની સંસ્થા છે. તેણે આરોપ લગાવ્યો કે 'છેલ્લો શો' ભારતીય ફિલ્મ નથી. કારણ કે આ ફિલ્મનો મુખ્ય નિર્માતા ઓરેન્જ સ્ટુડિયો છે. જે ફ્રેન્ચ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. ઓરેન્જ સ્ટુડિયોની વેબસાઈટ પર આ ફિલ્મને ભારત અને ફ્રાન્સની સંયુક્ત ફિલ્મ તરીકે પણ વર્ણવવામાં આવી છે. જોકે, આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે સિદ્ધાર્થ રોય કપૂરની કંપની રોય કપૂર ફિલ્મ્સે ખરીદી લીધી છે. પરંતુ FWICE કહે છે કે જે ફિલ્મ ઇન્ટરનેશનલ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે, તે ભારતીય ફિલ્મ કેવી રીતે હોઈ શકે! અને જે ફિલ્મ ભારતીય નથી તેને ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા શા માટે મોકલવામાં આવી?

 

મૂવી પર આરોપ

FWICE 'છેલ્લો શો' પર ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. 'સિનેમા પેરાડિસો' 1988માં રિલીઝ થઈ હતી. તેને ઓસ્કારમાં બેસ્ટ ફોરેન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. 'છેલ્લો  શો' અને 'સિનેમા પેરાડિસો'ના પોસ્ટરમાં પણ ઘણી સામ્યતા છે.



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે