વર્લ્ડ સ્કૂલ ચેસમાં સુરતની વાકાને ગોલ્ડ !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 17:25:02

 સુરતની 7વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામ કર્યો છે.વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.         

2018માં સુરતમાં જન્મેલી વાકાએ ફક્ત 18 મહિનામાં આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. 2023ના ઑગસ્ટથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને આજે એ સૌથી નાની વયની વિજેતા બની છે.     

આધુનિક ભારતમાં ચેસના ઉદયનો શ્રેય પાંચ વખત વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને આપવામાં આવે છે.વિશ્વનાથ આનંદે ઘણા ટાઇટલ જીત્યા છે અને ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે. સૌથી નાની વયે જયારે પ્રજ્ઞાનંદે વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથ આનંદને હરાવ્યા ત્યારે અપસેટ સર્જ્યો હતો.હાલમાં વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ ડી ની જીત બાદ તો ચેસની રમતને વધુને વધુ બાળકો રમતાં થયા છે.

ચેસની સામાન્ય જાણકારી : 
ચેસના દરેક ખેલાડી 16 મહોરાથી શરૂઆત કરે છે. જેમાં ૧ રાજા, ૧ રાણી, ૨ ઊંટ, ૨ ઘોડા, ૨ હાથી અને ૮ સૈનિકો હોય છે. એક ખેલાડી સફેદ મહોરા રાખે છે, જ્યારે બીજો કાળાં મહોરા રાખે છે. રમતની શરૂઆત હંમેશા સફેદ મહોરા ધરાવનારે જ કરવાની હોય છે.

ચેસ અંગે ઘણી રસપ્રદ વાતો છે

પુરાણ કાળમાં ચેસએ 6 ઠી સદીમાં રમાતી ચતુરંગાની રમત ભારત મૂળનો ઇતિહાસ ધરાવે છે. માનવામાં આવે છે કે 6 ઠ્ઠી સદી સી.ઇ.માં ગુપ્તા સામ્રાજ્ય દરમિયાન ચતુરંગાની રમત માંથી CHESSનો  ઉદ્ભવ થયો હતો.ચેસને ચતુરંગા રમત કહેવાતી હતી.ચતુરંગાએ યુદ્ધ સમયે કેવી રીતે દુશ્મનને હરાવવા માટેની કૂટનીતિની સમજ માટે રમવાં આવતી રમત હતી.જેમાં સૈન્યના ચાર વિભાગોનું પ્રતિનિધિત્વ કરનારી ટુકડીબનાવામાં આવી હતી. જેમાં પાયદળ, ઘોડેસવાર, હાફન્ટ્રી અને રથનો સમાવેશ થતો હતો.

ત્યાર બાદ સદીઓ સુધી તે વિકસિત થતી રહી અને લોકસંગે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે. સમય જતાં વિકસિત થતી ગઈ. વિવિધ પ્રદેશોમાં વિવિધ ભિન્નતા અને નિયમો વિકસિત થતા ગયા.ભારતમાં 1951 માં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનની રચના કરવામાં આવી અને આધુનિક ચેસની સત્તાવાર રીતે શરૂ થઈ.  

ભારત ચેસ પાવર તરીકે ઉભરી આવ્યું છે, ભારતીય ચેસ ખેલાડી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે છે.દેશમાં હાલમાં 2721 ટોપ-ટેન રેટિંગ ધરાવતી ફેડરેશન છે જેમાં ભારતની ફેડરેશનએ વિશ્વની બીજી શ્રેષ્ઠ ફેડરેશન છે. ફેડરેશન દ્વારા પુરુષો અને મહિલા એમ બંને માટે અનેક ચેસ ઓલિમ્પિયાડ આયોજિત કરે છે.  

1990ના દાયકાના અંતથી 2020ના શરૂઆતમાં ખેલાડીઓની માટે સફળતા માટે ડિજિટલ પ્લેટફોર્મ અને તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે જેથી ભારત ચેસમાં વધુને વધુ ટાઇટલ મેળવે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.