"ઇન્ડિયા એનર્જી વીક"માં ભારત અને US વચ્ચે ઉર્જાને લઇને થઈ ચર્ચા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-29 21:07:38

ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે.  જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. 

NZ89420

  • Image

USના ડેલિગેશન દ્વારા ભારતની ઓઇલ કંપનીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો છે. જેનાથી ભારત અમેરિકન હાઈડ્રોકાર્બન્સની આયાત વધારે. હાલમાં US પાસેથી ભારત માત્ર તેની LPG ડિમાન્ડના માત્ર 10 ટકા LPGની આયાત કરે છે. US દ્વારા LPG ક્ષેત્રે ભારત સાથે સહયોગ વધારી શકાય તે માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. USના ડેલિગેશનનું માનવું છે જો ભારત US પાસેથી LPGની આયાત વધારે છે તો તેનાથી , અમેરિકામાં પણ નોકરીઓનું સર્જન થશે. 

Press Release:Press Information Bureau

ભારત અને અમેરિકા દ્વારા સુરક્ષિત ઉર્જા ભવિષ્યને લઈને ઇનોવેશન પર ભાર મુકવામાં આવ્યો છે. બેઉ દેશો ખુબ ભારે માત્રામાં સ્માર્ટ ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે જેમ કે, સ્માર્ટ ગ્રીડ અને નેક્સ્ટ જનરેશન એનર્જી સિસ્ટમમાં કેમ કે તેનાથી , વિશ્વસનીય અને સાતત્યપૂર્ણ એનર્જી નેટવર્ક બનાવી શકાય છે.  




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.