કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે કર્યો પક્ષ-પલટો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:52:04

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ચેતન રાવલ આપમાં જોડાયા છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી બીજી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. 

chetan raval


કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે થામ્યો આપનો હાથ 

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પર રહી ચૂકેલા ચેતન રાવલ આપમાં જોડાતા રાજનીતિ ગરમાઈ છે. ચેતન રાવલે ઈન્દ્રશીલ રાજ્યગુરૂના હસ્તે તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડતા જ તેમના શુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે.

પક્ષ બદલતા જ બદલાયા સૂર 

આમ આદમી પાર્ટીમાં જોડાતા જ કોંગ્રેસ વિરૂદ્ધ બોલવાનું તેમણે શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા છે. ચેતન રાવલે કહ્યું કે ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણલક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભાજપ એકદમ નિષ્ફળ નિવડી છે.


અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત

વધુમાં ચેતન રાવલે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં દેખ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ અને આપ દ્વારા આપવામાં આવેલા વચનો લોકો માટે ઉપયોગી થશે તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે