કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે કર્યો પક્ષ-પલટો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:52:04

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ચેતન રાવલ આપમાં જોડાયા છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી બીજી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. 

chetan raval


કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે થામ્યો આપનો હાથ 

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પર રહી ચૂકેલા ચેતન રાવલ આપમાં જોડાતા રાજનીતિ ગરમાઈ છે. ચેતન રાવલે ઈન્દ્રશીલ રાજ્યગુરૂના હસ્તે તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડતા જ તેમના શુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે.

પક્ષ બદલતા જ બદલાયા સૂર 

આમ આદમી પાર્ટીમાં જોડાતા જ કોંગ્રેસ વિરૂદ્ધ બોલવાનું તેમણે શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા છે. ચેતન રાવલે કહ્યું કે ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણલક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભાજપ એકદમ નિષ્ફળ નિવડી છે.


અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત

વધુમાં ચેતન રાવલે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં દેખ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ અને આપ દ્વારા આપવામાં આવેલા વચનો લોકો માટે ઉપયોગી થશે તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.      



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .