કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે કર્યો પક્ષ-પલટો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:52:04

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ચેતન રાવલ આપમાં જોડાયા છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી બીજી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. 

chetan raval


કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે થામ્યો આપનો હાથ 

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પર રહી ચૂકેલા ચેતન રાવલ આપમાં જોડાતા રાજનીતિ ગરમાઈ છે. ચેતન રાવલે ઈન્દ્રશીલ રાજ્યગુરૂના હસ્તે તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડતા જ તેમના શુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે.

પક્ષ બદલતા જ બદલાયા સૂર 

આમ આદમી પાર્ટીમાં જોડાતા જ કોંગ્રેસ વિરૂદ્ધ બોલવાનું તેમણે શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા છે. ચેતન રાવલે કહ્યું કે ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણલક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભાજપ એકદમ નિષ્ફળ નિવડી છે.


અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત

વધુમાં ચેતન રાવલે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં દેખ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ અને આપ દ્વારા આપવામાં આવેલા વચનો લોકો માટે ઉપયોગી થશે તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .