કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે કર્યો પક્ષ-પલટો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:52:04

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પક્ષપલટો કરી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ચેતન રાવલ આપમાં જોડાયા છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાડી બીજી પાર્ટીમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. 

chetan raval


કોંગ્રેસને અલવિદા કહેનાર ચેતન રાવલે થામ્યો આપનો હાથ 

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદ પર રહી ચૂકેલા ચેતન રાવલ આપમાં જોડાતા રાજનીતિ ગરમાઈ છે. ચેતન રાવલે ઈન્દ્રશીલ રાજ્યગુરૂના હસ્તે તેમણે આપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ છોડતા જ તેમના શુર બદલાઈ ગયા છે. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહાર કર્યા છે.

પક્ષ બદલતા જ બદલાયા સૂર 

આમ આદમી પાર્ટીમાં જોડાતા જ કોંગ્રેસ વિરૂદ્ધ બોલવાનું તેમણે શરૂ કરી દીધું છે. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પર પણ તેમણે પ્રહાર કર્યા છે. ચેતન રાવલે કહ્યું કે ગુજરાતમાં વિશેષ જે સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણલક્ષી સમસ્યાનું નિરાકરણ લાવવામાં ભાજપ એકદમ નિષ્ફળ નિવડી છે.


અરવિંદ કેજરીવાલની રાજનીતિથી પ્રભાવિત

વધુમાં ચેતન રાવલે કહ્યું કે અરવિંદ કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ બે રાજ્યોમાં દેખ્યો છે. જેનાથી પ્રભાવિત થઈ અને આપ દ્વારા આપવામાં આવેલા વચનો લોકો માટે ઉપયોગી થશે તે જોઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.