બેરોજગારોને લઈ છત્તીસગઢ સરકારે કરી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:20:43

સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ બેરોજગારોને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.


બેરોજગારોને આપવામાં આવશે બેરોજગારી ભથ્થુ 

દેશ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારીનો. અનેક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ત્ચારે છત્તીસગઢ સરકારે ગણતંત્ર દિવસે બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. ગણતંત્ર પર્વ નિમિત્તે બસ્તર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીએમએ બેરોજગાર લોકો માટે એક ટ્વિટ કરી હતી જેમાં બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.  


ટ્વિટ કરી મુખ્યમંત્રીએ આપી જાણકારી 

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારમાં આવતા પહેલા જ કોંગ્રેસે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી હતી. ત્યારે ગણતંત્ર દિવસે છત્તીસગઢ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ટ્વિટ કરતા સીએમએ જાણકારી આપી કે યુવાનોને આવતા નાણાકિય વર્ષથી દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તે સિવાય પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.