બેરોજગારોને લઈ છત્તીસગઢ સરકારે કરી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:20:43

સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ બેરોજગારોને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.


બેરોજગારોને આપવામાં આવશે બેરોજગારી ભથ્થુ 

દેશ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારીનો. અનેક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ત્ચારે છત્તીસગઢ સરકારે ગણતંત્ર દિવસે બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. ગણતંત્ર પર્વ નિમિત્તે બસ્તર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીએમએ બેરોજગાર લોકો માટે એક ટ્વિટ કરી હતી જેમાં બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.  


ટ્વિટ કરી મુખ્યમંત્રીએ આપી જાણકારી 

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારમાં આવતા પહેલા જ કોંગ્રેસે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી હતી. ત્યારે ગણતંત્ર દિવસે છત્તીસગઢ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ટ્વિટ કરતા સીએમએ જાણકારી આપી કે યુવાનોને આવતા નાણાકિય વર્ષથી દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તે સિવાય પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.