બેરોજગારોને લઈ છત્તીસગઢ સરકારે કરી જાહેરાત, મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-01-26 15:20:43

સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યોમાં રાજ્ય સ્તરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ બેરોજગારોને લઈને મહત્વની જાહેરાત કરી છે. ગણતંત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.


બેરોજગારોને આપવામાં આવશે બેરોજગારી ભથ્થુ 

દેશ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે બેરોજગારીનો. અનેક લોકો બેરોજગાર થઈ રહ્યા છે. ત્ચારે છત્તીસગઢ સરકારે ગણતંત્ર દિવસે બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. ગણતંત્ર પર્વ નિમિત્તે બસ્તર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી હતી. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીએમએ બેરોજગાર લોકો માટે એક ટ્વિટ કરી હતી જેમાં બેરોજગાર ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી હતી.  


ટ્વિટ કરી મુખ્યમંત્રીએ આપી જાણકારી 

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. સરકારમાં આવતા પહેલા જ કોંગ્રેસે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની વાત કરી હતી. ત્યારે ગણતંત્ર દિવસે છત્તીસગઢ સરકારે આ અંગે જાહેરાત કરી છે. ટ્વિટ કરતા સીએમએ જાણકારી આપી કે યુવાનોને આવતા નાણાકિય વર્ષથી દર મહિને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. તે સિવાય પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.