Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, ત્રણ જવાનો શહીદ અને 14 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:05:09

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમમાં મંગળવારે નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. CRPF કોબ્રા અને DRG જવાનોની સંયુક્ત ટીમ પર નક્સલવાદીઓએ કરેલા ગોળીબારને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા, જેમાં એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૈનિકોની સારવાર રાયપુરમાં કરવામાં આવશે.


પેટ્રોલિગ વખતે થયો હુમલો


મંગળવારે જ પોલીસે ટેકલગુડેમમાં નવો કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પની સુરક્ષામાં રોકાયેલા સૈનિકો કેમ્પની સ્થાપના બાદ જૂનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, આ દરમિયાન પહેલાથી જ છુપાઈને બેઠેલા નક્સલવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) છોડ્યા હતા જેના કારણે સૈનિકો શહીદ થયા હતા. જો કે જવાનોએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો હતો. બંને તરફથી લગભગ ત્રણથી ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો, આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) ફાયરિંગ કર્યું, જેના કારણે ઘણા સૈનિકો ઘાયલ થયા અને 3 જવાનો શહીદ થયા હતા. કેટલાક ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ સૈનિકોને સારી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર રિફર કરવામાં આવી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .