Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં CRPF કેમ્પ પર મોટો નક્સલી હુમલો, ત્રણ જવાનો શહીદ અને 14 ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-30 22:05:09

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેકલગુડેમમાં મંગળવારે નક્સલવાદીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. CRPF કોબ્રા અને DRG જવાનોની સંયુક્ત ટીમ પર નક્સલવાદીઓએ કરેલા ગોળીબારને કારણે ત્રણ જવાનો શહીદ થયા હતા જ્યારે 14 જવાનો ઘાયલ થયા હતા, જેમાં એક જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સૈનિકોની સારવાર રાયપુરમાં કરવામાં આવશે.


પેટ્રોલિગ વખતે થયો હુમલો


મંગળવારે જ પોલીસે ટેકલગુડેમમાં નવો કેમ્પ લગાવ્યો છે. આ કેમ્પની સુરક્ષામાં રોકાયેલા સૈનિકો કેમ્પની સ્થાપના બાદ જૂનાગુડા-અલીગુડા વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા, આ દરમિયાન પહેલાથી જ છુપાઈને બેઠેલા નક્સલવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો અને 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) છોડ્યા હતા જેના કારણે સૈનિકો શહીદ થયા હતા. જો કે જવાનોએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો હતો. બંને તરફથી લગભગ ત્રણથી ચાર કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો, આ દરમિયાન નક્સલીઓએ જવાનો પર 100થી વધુ BGL (બેરલ ગ્રેનેડ લોન્ચર) ફાયરિંગ કર્યું, જેના કારણે ઘણા સૈનિકો ઘાયલ થયા અને 3 જવાનો શહીદ થયા હતા. કેટલાક ઘાયલ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ સૈનિકોને સારી સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા રાયપુર રિફર કરવામાં આવી રહ્યા છે. બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.