છોટાઉદેપુરની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પોલીસકર્મી પતિએ જ પત્નીની ગળું કાપી કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-12-06 15:11:15

રાજ્યમાં ઘરૂલુ હિંસાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય અને બાદમાં પતિ તેની પત્નીની હત્યા કરી નાખે તેવી અનેક ઘટાનાઓ સામે આવતી રહે છે. છોટાઉદેપુરમાં પતિ પત્નીના સંબંઘોને કલંકિત કરતી ઘટના બની છે. અહીં પતિએ પોતાની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દેતા હાહાકાર મચી ગઈ છે. છોટાઉદેપુરના પીપલેજ ગામની સીમમાં ગોંદરીયા ગામ જવા રોડ પર અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તે પોલીસ કર્મી  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હોવાનું જાણવા મળ્યું હતું.


પતિએ જ કરી પત્નીની હત્યા


આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું. વાત એમ હતી કે પોલીસ કર્મી ASI વરસન રાઠવાએ તેમની પત્ની કેળીબેનનું ગળુ કાપીને ક્રૂરતાથી તેમની હત્યા કરી દઇને મૃતદેહને ગોંદરીયા ગામ નજીક જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતો. ગઇ કાલે પીપલેજ ગામે ગોંદરિયા ગામ જવાના રસ્તે  મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર ઘટનાને લઇને આરોપી પોલીસ કર્મીને  રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હત્યા શા માટે કરી તે બાબત જાણી શકાઈ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.