છોટાઉદેપુરની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પોલીસકર્મી પતિએ જ પત્નીની ગળું કાપી કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-12-06 15:11:15

રાજ્યમાં ઘરૂલુ હિંસાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે ઝગડો થાય અને બાદમાં પતિ તેની પત્નીની હત્યા કરી નાખે તેવી અનેક ઘટાનાઓ સામે આવતી રહે છે. છોટાઉદેપુરમાં પતિ પત્નીના સંબંઘોને કલંકિત કરતી ઘટના બની છે. અહીં પતિએ પોતાની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દેતા હાહાકાર મચી ગઈ છે. છોટાઉદેપુરના પીપલેજ ગામની સીમમાં ગોંદરીયા ગામ જવા રોડ પર અજાણી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા તે પોલીસ કર્મી  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હોવાનું જાણવા મળ્યું હતું.


પતિએ જ કરી પત્નીની હત્યા


આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું. વાત એમ હતી કે પોલીસ કર્મી ASI વરસન રાઠવાએ તેમની પત્ની કેળીબેનનું ગળુ કાપીને ક્રૂરતાથી તેમની હત્યા કરી દઇને મૃતદેહને ગોંદરીયા ગામ નજીક જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતો. ગઇ કાલે પીપલેજ ગામે ગોંદરિયા ગામ જવાના રસ્તે  મૃતદેહ મળી આવતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. સમગ્ર ઘટનાને લઇને આરોપી પોલીસ કર્મીને  રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.  ASI વરસન રાઠવાએ તેમની પત્નીની હત્યા શા માટે કરી તે બાબત જાણી શકાઈ નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.