ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ડખો, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-13 00:33:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય બનવાનું સપનું જોતા નેતાઓનું પત્તુ કપાય એટલે તેમના સપના રોળાઈ જાય છે, આવા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈએ રાજીનામું  આપતા હડકંપ મચી ગયો છે.


શા માટે BTPમાં વિખવાદ ફૂટ પડી?

ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ વિખવાદનું મુખ્ય કારણ બીટીપી અને  જનતા દળ યુનિયન સાથેનું ગઠબંધન છે. BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવાઓ ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન હતા. છોટુ વસાવાનો ગઢ અને BTPની સૌથી સુરક્ષીત સીટ પર મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે. જ્યારે મહેશ વસાવા ધારાસભ્ય છે તે ડેડીયાપાડા સીટ જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી  આ ઘટના બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં મહાભારત સર્જાયું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.