ભારતીય ટ્રાઈબલ પાર્ટીમાં ડખો, છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-13 00:33:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય બનવાનું સપનું જોતા નેતાઓનું પત્તુ કપાય એટલે તેમના સપના રોળાઈ જાય છે, આવા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) તથા BTTSના રાષ્ટ્રીય અધ્યક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું છે. દિલીપભાઈએ રાજીનામું  આપતા હડકંપ મચી ગયો છે.


શા માટે BTPમાં વિખવાદ ફૂટ પડી?

ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ વિખવાદનું મુખ્ય કારણ બીટીપી અને  જનતા દળ યુનિયન સાથેનું ગઠબંધન છે. BTPના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઇ વસાવાઓ ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા ન હતા. છોટુ વસાવાનો ગઢ અને BTPની સૌથી સુરક્ષીત સીટ પર મહેશભાઈ વસાવા જાતે લડી રહયા છે. જ્યારે મહેશ વસાવા ધારાસભ્ય છે તે ડેડીયાપાડા સીટ જિલ્લા પ્રમુખ બહાદૂર વસાવાને ટિકિટ આપી  આ ઘટના બાદ છોટુભાઈ વસાવાના પરિવારમાં મહાભારત સર્જાયું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.