વડોદરા: 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો, ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા વિતરણ અટકાવાયું


  • Published By :
  • Published Date : 2023-10-06 20:05:07

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રધ્ધાળુંઓને આપવામાં આવતા પ્રસાદમાં ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો ખુલાસો થયા બાદ હાહાકાર મચી ગયો હતો. જો કે આ વિવાદ હજુ તાજો જ છે ત્યારે ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. વડોદરા જિલ્લા પુરવઠા વિભાગને મળેલા 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ ફેઈલ આવતા ચણાના જથ્થાનું વિતરણ વિતરણ અટકાવાયું


સરકારી અનાજના ચણાનો જથ્થો FSLમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9,340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો 9340 કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું. પાદરાના ગોડાઉન માં 9340 કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચનાના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફાળવવાનો હતો પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સપ્લાય દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી