વડોદરા: 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો, ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા વિતરણ અટકાવાયું


  • Published By :
  • Published Date : 2023-10-06 20:05:07

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રધ્ધાળુંઓને આપવામાં આવતા પ્રસાદમાં ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો ખુલાસો થયા બાદ હાહાકાર મચી ગયો હતો. જો કે આ વિવાદ હજુ તાજો જ છે ત્યારે ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. વડોદરા જિલ્લા પુરવઠા વિભાગને મળેલા 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ ફેઈલ આવતા ચણાના જથ્થાનું વિતરણ વિતરણ અટકાવાયું


સરકારી અનાજના ચણાનો જથ્થો FSLમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9,340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો 9340 કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું. પાદરાના ગોડાઉન માં 9340 કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચનાના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફાળવવાનો હતો પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સપ્લાય દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.