વડોદરા: 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો, ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થતા વિતરણ અટકાવાયું


  • Published By :
  • Published Date : 2023-10-06 20:05:07

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન શ્રધ્ધાળુંઓને આપવામાં આવતા પ્રસાદમાં ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો ખુલાસો થયા બાદ હાહાકાર મચી ગયો હતો. જો કે આ વિવાદ હજુ તાજો જ છે ત્યારે ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. વડોદરા જિલ્લા પુરવઠા વિભાગને મળેલા 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


રિપોર્ટ ફેઈલ આવતા ચણાના જથ્થાનું વિતરણ વિતરણ અટકાવાયું


સરકારી અનાજના ચણાનો જથ્થો FSLમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9,340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો 9340 કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું. પાદરાના ગોડાઉન માં 9340 કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચનાના જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફાળવવાનો હતો પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સપ્લાય દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.