મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ દિલ્હી જઈ કરશે ઉમેદવારોના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-07 17:25:43

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ ભાજપ ઉમેદવારોના નામ માટે મનોમંથન કરી રહી છે. જોરશોરથી દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 11 વાર લિસ્ટ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતી કાલે દિલ્હી જવાના છે. જે બાદ ઉમેદવારોના નામ જાહેર થઈ  શકે છે. 

PM મોદીના લીધે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો: CM | નવગુજરાત સમય

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી

આ વખતે ભાજપ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારાના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ટૂંક સમયમાં જ  ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું નામને ફાઈનલ કરવા જ તેઓ દિલ્હી જઈ રહ્યા છે. અંદાજિત તેઓ બે દિવસ માટે જઈ રહ્યા છે જે બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે. 

Pressure points on the BJP's top brass

હાઈ કમાન્ડ લગાડશે ઉમેદવારોના નામ પર મોહર

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ સૌથી આગળ હોય છે. ત્યારે આ વખતે ભાજપ ઉમેદવારોના નામને લઈ આટલું મનોમંથન કેમ કરી રહ્યું છે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ કદાચ નવા ઉમેદવારોને મોકો આપી શકે છે. આટલા સમયના મનોમંથન બાદ ભાજપ કોને ટિકિટ આપે છે તેની પર પણ સૌની નજર રહેવાની છે કારણ કે હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ પર મોહર લગાડવાના છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.