મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ દિલ્હી જઈ કરશે ઉમેદવારોના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-07 17:25:43

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ ભાજપ ઉમેદવારોના નામ માટે મનોમંથન કરી રહી છે. જોરશોરથી દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ 11 વાર લિસ્ટ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતી કાલે દિલ્હી જવાના છે. જે બાદ ઉમેદવારોના નામ જાહેર થઈ  શકે છે. 

PM મોદીના લીધે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો: CM | નવગુજરાત સમય

સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી

આ વખતે ભાજપ મનોમંથન કર્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવાની છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારાના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ટૂંક સમયમાં જ  ભાજપ દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કારણ કે મુખ્યમંત્રી અને સી.આર પાટીલ દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું નામને ફાઈનલ કરવા જ તેઓ દિલ્હી જઈ રહ્યા છે. અંદાજિત તેઓ બે દિવસ માટે જઈ રહ્યા છે જે બાદ ભાજપ પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે. 

Pressure points on the BJP's top brass

હાઈ કમાન્ડ લગાડશે ઉમેદવારોના નામ પર મોહર

ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ભાજપ સૌથી આગળ હોય છે. ત્યારે આ વખતે ભાજપ ઉમેદવારોના નામને લઈ આટલું મનોમંથન કેમ કરી રહ્યું છે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં ભાજપ કદાચ નવા ઉમેદવારોને મોકો આપી શકે છે. આટલા સમયના મનોમંથન બાદ ભાજપ કોને ટિકિટ આપે છે તેની પર પણ સૌની નજર રહેવાની છે કારણ કે હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ પર મોહર લગાડવાના છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.