મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, મુંબઈની હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન! બ્રેઈન સ્ટ્રોક આવતા કરાયા હતા એડમિટ


  • Published By :
  • Published Date : 2023-05-16 11:08:56

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. અને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવશે. 


સુધારા પર છે સીએમના પુત્રની તબિયત!

અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને લઈ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી કરાઈ હતી. પરંતુ તે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરી એક વખત તેમની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટિલેટરના સપોર્ટથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. 


સીએમે ચૂકવ્યું હતું એર એમ્બ્યુલન્સનું ભાડુ!

મુખ્યમંત્રીના સાદગીના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. અમદાવાદથી મુંબઈ લઈ જવા સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું સીએમે ચૂકવ્યું હતું. ત્યારે આ વાતના વખાણ પીએમે કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાદગીથી લોકો પ્રેરણા લે તેવી આશા પીએમે વ્યક્ત કરી છે.            




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.