મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, મુંબઈની હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન! બ્રેઈન સ્ટ્રોક આવતા કરાયા હતા એડમિટ


  • Published By :
  • Published Date : 2023-05-16 11:08:56

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. અને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવશે. 


સુધારા પર છે સીએમના પુત્રની તબિયત!

અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને લઈ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી કરાઈ હતી. પરંતુ તે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરી એક વખત તેમની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટિલેટરના સપોર્ટથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. 


સીએમે ચૂકવ્યું હતું એર એમ્બ્યુલન્સનું ભાડુ!

મુખ્યમંત્રીના સાદગીના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. અમદાવાદથી મુંબઈ લઈ જવા સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું સીએમે ચૂકવ્યું હતું. ત્યારે આ વાતના વખાણ પીએમે કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાદગીથી લોકો પ્રેરણા લે તેવી આશા પીએમે વ્યક્ત કરી છે.            




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.