મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, મુંબઈની હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન! બ્રેઈન સ્ટ્રોક આવતા કરાયા હતા એડમિટ


  • Published By :
  • Published Date : 2023-05-16 11:08:56

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. અને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવશે. 


સુધારા પર છે સીએમના પુત્રની તબિયત!

અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને લઈ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી કરાઈ હતી. પરંતુ તે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરી એક વખત તેમની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટિલેટરના સપોર્ટથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. 


સીએમે ચૂકવ્યું હતું એર એમ્બ્યુલન્સનું ભાડુ!

મુખ્યમંત્રીના સાદગીના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. અમદાવાદથી મુંબઈ લઈ જવા સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું સીએમે ચૂકવ્યું હતું. ત્યારે આ વાતના વખાણ પીએમે કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાદગીથી લોકો પ્રેરણા લે તેવી આશા પીએમે વ્યક્ત કરી છે.            




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.