મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયતમાં સુધારો, મુંબઈની હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન! બ્રેઈન સ્ટ્રોક આવતા કરાયા હતા એડમિટ


  • Published By :
  • Published Date : 2023-05-16 11:08:56

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા અમદાવાદની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેમને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ દ્વારા અનુજ પટેલના આરોગ્યને લઈને હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ હવે અનુજ પટેલની સ્થિતિ સારી છે. અને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેમને કોકિલાબહેન હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવશે. 


સુધારા પર છે સીએમના પુત્રની તબિયત!

અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેને લઈ તેમને અમદાવાદની વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી કેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમની સર્જરી કરાઈ હતી. પરંતુ તે બાદ મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી એર એમ્બ્યુલન્સ મારફતે તેમને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરી એક વખત તેમની સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. વેન્ટિલેટરના સપોર્ટથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. 


સીએમે ચૂકવ્યું હતું એર એમ્બ્યુલન્સનું ભાડુ!

મુખ્યમંત્રીના સાદગીના વખાણ પીએમ મોદીએ કર્યા હતા. અમદાવાદથી મુંબઈ લઈ જવા સરકારી એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો હતો. સરકારી એર એમ્બ્યુલન્સનું ભાડું સીએમે ચૂકવ્યું હતું. ત્યારે આ વાતના વખાણ પીએમે કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની સાદગીથી લોકો પ્રેરણા લે તેવી આશા પીએમે વ્યક્ત કરી છે.            




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે