સુરતના સચિન વિસ્તારમાં માસુમ બાળકનું ટેમ્પાની ટક્કરથી મોત,પરિવારનું હૈયાફાટ રૂદન


  • Published By :
  • Published Date : 2023-06-14 20:49:06

ઘરકામમાં વ્યસ્ત રહેતી માતાઓને તેમનું બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ભાન પણ રહેતું નથી અને આ જ કારણે કેટલીક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં એક બાળકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.  બે વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું, તે દરમિયાન ટેમ્પો ચાલકે બાળકને ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે.


પરિવારે માસૂમ બાળક ગુમાવ્યું


સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસયટીમાં રહેતા વિક્રમ ભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ગયા હતા અને તેમની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. તેમનું બે વર્ષનું બાળક ગતરોજ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસયટીમાં રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલક સામે અચાનક બાળક આવી જતા ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના કારણે બૂમાબૂમ થતા બાળકની માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યું હતું. બાળકનું વધારે પડતું લોહી વહી જતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. આમ બાળકનું ધ્યાન ન રાખતા આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે. 


પરિવારનું હૈયાફાટ રૂદન

 

બાળક ગંભીર રીતે ઘાયલ થયાની જાણ થતાં જ પત્નીએ વિક્રમભાઈને જાણ કરતા વિક્રમભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં બાળકના મૃત્યુના સમાચાર સંભાળી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. સમ્રગ મામલે વિક્રમભાઈએ ટેમ્પો ચાલક વિરુદ્ઘ સચિન GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.