સુરતના સચિન વિસ્તારમાં માસુમ બાળકનું ટેમ્પાની ટક્કરથી મોત,પરિવારનું હૈયાફાટ રૂદન


  • Published By :
  • Published Date : 2023-06-14 20:49:06

ઘરકામમાં વ્યસ્ત રહેતી માતાઓને તેમનું બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ભાન પણ રહેતું નથી અને આ જ કારણે કેટલીક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં એક બાળકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.  બે વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું, તે દરમિયાન ટેમ્પો ચાલકે બાળકને ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે.


પરિવારે માસૂમ બાળક ગુમાવ્યું


સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસયટીમાં રહેતા વિક્રમ ભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ગયા હતા અને તેમની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. તેમનું બે વર્ષનું બાળક ગતરોજ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસયટીમાં રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલક સામે અચાનક બાળક આવી જતા ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના કારણે બૂમાબૂમ થતા બાળકની માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યું હતું. બાળકનું વધારે પડતું લોહી વહી જતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. આમ બાળકનું ધ્યાન ન રાખતા આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે. 


પરિવારનું હૈયાફાટ રૂદન

 

બાળક ગંભીર રીતે ઘાયલ થયાની જાણ થતાં જ પત્નીએ વિક્રમભાઈને જાણ કરતા વિક્રમભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં બાળકના મૃત્યુના સમાચાર સંભાળી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. સમ્રગ મામલે વિક્રમભાઈએ ટેમ્પો ચાલક વિરુદ્ઘ સચિન GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.