સુરતના સચિન વિસ્તારમાં માસુમ બાળકનું ટેમ્પાની ટક્કરથી મોત,પરિવારનું હૈયાફાટ રૂદન


  • Published By :
  • Published Date : 2023-06-14 20:49:06

ઘરકામમાં વ્યસ્ત રહેતી માતાઓને તેમનું બાળક ક્યાં રમી રહ્યું છે તેનું ભાન પણ રહેતું નથી અને આ જ કારણે કેટલીક વખત મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં એક બાળકનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ છે.  બે વર્ષનું બાળક સોસાયટીમાં રમી રહ્યું હતું, તે દરમિયાન ટેમ્પો ચાલકે બાળકને ટક્કર મારતા બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાયું હતું. ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે.


પરિવારે માસૂમ બાળક ગુમાવ્યું


સુરતના સચિન GIDC ખાતે આવેલી શિવ શક્તિ સોસયટીમાં રહેતા વિક્રમ ભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ગયા હતા અને તેમની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતા. તેમનું બે વર્ષનું બાળક ગતરોજ મંગળવારે સાંજે 5 વાગ્યાના અરસામાં સોસયટીમાં રમી રહ્યું હતું. તે દરમિયાન ટેમ્પો ચાલક સામે અચાનક બાળક આવી જતા ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના કારણે બૂમાબૂમ થતા બાળકની માતા પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોહીલુહાણ ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખેસડવામાં આવ્યું હતું. બાળકનું વધારે પડતું લોહી વહી જતા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. આમ બાળકનું ધ્યાન ન રાખતા આજે એક પરિવારને પોતાનું માસૂમ બાળક ગુમાવવું પડ્યું છે. 


પરિવારનું હૈયાફાટ રૂદન

 

બાળક ગંભીર રીતે ઘાયલ થયાની જાણ થતાં જ પત્નીએ વિક્રમભાઈને જાણ કરતા વિક્રમભાઈ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં બાળકના મૃત્યુના સમાચાર સંભાળી તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. માસૂમ બાળકના મૃત્યુથી પરિવારનું હૈયાફાટ રૂદન સામે આવ્યું હતું. સમ્રગ મામલે વિક્રમભાઈએ ટેમ્પો ચાલક વિરુદ્ઘ સચિન GIDC પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.