રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો, ઘઉંની કોઠીમાંથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-04-10 17:29:32

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો છે. રમત-રમતમાં બાળક અનાજ ભરેલી કોઠીમાં સંતાયો હતો અને તે દરમિયાન કોઠીનું ઢાંકણું બંધ થતાં ગૂંગળામણને લઈને બાળકે જીવ ગુમાવ્યો હતો.


પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો


આ ઘટનાની વિગત એવી છે કે રાજકોટમાં મજુરી કરીને પેટીયું રળતું દંપતી તેમના એકના એક પુત્રને ઘરે મુકીને કામ પર ગયું હતું. જ્યારે તે સાંજે ઘરે પરત ફર્યું ત્યારે તેમને ઘરમાં છોકરો જોવા મળ્યો નહોતો. આસપાસમાં શોધખોળ કરી પણ તે ન મળતા અંતે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે છોકરાની માતાએ કોઈ કામ માટે ઘરમાં આવેલી ઘઉંની કોઠીનું ઢાંકણું ખોલતા જ તેમના વ્હાલસોયા પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.