રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો, ઘઉંની કોઠીમાંથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-04-10 17:29:32

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો છે. રમત-રમતમાં બાળક અનાજ ભરેલી કોઠીમાં સંતાયો હતો અને તે દરમિયાન કોઠીનું ઢાંકણું બંધ થતાં ગૂંગળામણને લઈને બાળકે જીવ ગુમાવ્યો હતો.


પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો


આ ઘટનાની વિગત એવી છે કે રાજકોટમાં મજુરી કરીને પેટીયું રળતું દંપતી તેમના એકના એક પુત્રને ઘરે મુકીને કામ પર ગયું હતું. જ્યારે તે સાંજે ઘરે પરત ફર્યું ત્યારે તેમને ઘરમાં છોકરો જોવા મળ્યો નહોતો. આસપાસમાં શોધખોળ કરી પણ તે ન મળતા અંતે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે છોકરાની માતાએ કોઈ કામ માટે ઘરમાં આવેલી ઘઉંની કોઠીનું ઢાંકણું ખોલતા જ તેમના વ્હાલસોયા પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે