રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો, ઘઉંની કોઠીમાંથી મળ્યો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-04-10 17:29:32

માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. રાજકોટમાં સંતાકૂકડી રમતા બાળકે જીવ ગુમાવ્યો છે. રમત-રમતમાં બાળક અનાજ ભરેલી કોઠીમાં સંતાયો હતો અને તે દરમિયાન કોઠીનું ઢાંકણું બંધ થતાં ગૂંગળામણને લઈને બાળકે જીવ ગુમાવ્યો હતો.


પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો


આ ઘટનાની વિગત એવી છે કે રાજકોટમાં મજુરી કરીને પેટીયું રળતું દંપતી તેમના એકના એક પુત્રને ઘરે મુકીને કામ પર ગયું હતું. જ્યારે તે સાંજે ઘરે પરત ફર્યું ત્યારે તેમને ઘરમાં છોકરો જોવા મળ્યો નહોતો. આસપાસમાં શોધખોળ કરી પણ તે ન મળતા અંતે પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જો કે છોકરાની માતાએ કોઈ કામ માટે ઘરમાં આવેલી ઘઉંની કોઠીનું ઢાંકણું ખોલતા જ તેમના વ્હાલસોયા પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. 



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.

જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...