આ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન લેતી વખતે બાળકો નથી રડતા, જુઓ વાયરલ થયેલા ડોક્ટરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-05 15:54:58

ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકો તો ડોક્ટરને જોઈ પોતાનું દર્દ ભૂલી જાય છે પરંતુ એ જે રીતે બાળકોને ટેકલ કરે છે તે જોઈ માતા પિતા પણ ખુશ થઈ જાય છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડોક્ટર ગીત ગાઈને બાળકનું ધ્યાન ભટકાવે છે અને ધીમે રહીને તેને ઈન્જેક્શન આપી દે છે. બાળક રડતો પણ નથી અને ડોક્ટર ઈન્જેક્શન આપી દે છે અને બાળકને ખબર પણ નથી. જે ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અમદાવાદના ડોક્ટર ઈમરાન પટેલ છે. 

ધ્યાન ભટકાવવા ડોક્ટર ગાય છે ગીત!

ડોક્ટરનું નામ સાંભળતા જ આપણને ડર લાગવા લાગે છે. આપણે વિચારતા હોઈએ કે ડોક્ટર ક્યાંય ઈન્જેક્શન તો આપી દેશે તો? અને એમાં પણ જો બાળકને ડોક્ટર પાસે લઈ જવાના હોય તો તો માતા પિતાની ચિંતા વધી જતી હોય છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં બાળકોને ઈન્જેક્શન આપતી વખતે માતા વધારે ડરતી દેખાતી હોય છે. ઈન્જેક્શન આપતી વખતે બાળકના ધ્યાનને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ડોક્ટર ગીત ગાઈ બાળકના ધ્યાનને ભટકાવે છે. ડોક્ટર ગીત ગાતા જાય છે અને ઈન્જેક્શન આપતા જાય છે.  


નાના બાળકોને પણ નથી લાગતો ઈન્જેક્શનથી ડર

સોશિયલ મીડિયા પર ડોક્ટરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ડોક્ટરના કામ કરવાની રીત એટલી ગમી રહી છે કે ડોક્ટરની પ્રસંશા કરી રહ્યા છે. એવાં ડોક્ટર જે દર્દની સામે આપે છે સ્માઈલ, એવાં ડોક્ટર જેને મસ્તી કરતાં-કરતાં બાળકોને આપે છે પર્ફેક્ટ સારવાર. ડોક્ટર એવી સારવાર કરે છે કે બાળકો પણ ઈન્જેક્શન લેતા ડરતા નથી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.