આ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન લેતી વખતે બાળકો નથી રડતા, જુઓ વાયરલ થયેલા ડોક્ટરનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-05 15:54:58

ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકો તો ડોક્ટરને જોઈ પોતાનું દર્દ ભૂલી જાય છે પરંતુ એ જે રીતે બાળકોને ટેકલ કરે છે તે જોઈ માતા પિતા પણ ખુશ થઈ જાય છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડોક્ટર ગીત ગાઈને બાળકનું ધ્યાન ભટકાવે છે અને ધીમે રહીને તેને ઈન્જેક્શન આપી દે છે. બાળક રડતો પણ નથી અને ડોક્ટર ઈન્જેક્શન આપી દે છે અને બાળકને ખબર પણ નથી. જે ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અમદાવાદના ડોક્ટર ઈમરાન પટેલ છે. 

ધ્યાન ભટકાવવા ડોક્ટર ગાય છે ગીત!

ડોક્ટરનું નામ સાંભળતા જ આપણને ડર લાગવા લાગે છે. આપણે વિચારતા હોઈએ કે ડોક્ટર ક્યાંય ઈન્જેક્શન તો આપી દેશે તો? અને એમાં પણ જો બાળકને ડોક્ટર પાસે લઈ જવાના હોય તો તો માતા પિતાની ચિંતા વધી જતી હોય છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં બાળકોને ઈન્જેક્શન આપતી વખતે માતા વધારે ડરતી દેખાતી હોય છે. ઈન્જેક્શન આપતી વખતે બાળકના ધ્યાનને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ડોક્ટર ગીત ગાઈ બાળકના ધ્યાનને ભટકાવે છે. ડોક્ટર ગીત ગાતા જાય છે અને ઈન્જેક્શન આપતા જાય છે.  


નાના બાળકોને પણ નથી લાગતો ઈન્જેક્શનથી ડર

સોશિયલ મીડિયા પર ડોક્ટરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ડોક્ટરના કામ કરવાની રીત એટલી ગમી રહી છે કે ડોક્ટરની પ્રસંશા કરી રહ્યા છે. એવાં ડોક્ટર જે દર્દની સામે આપે છે સ્માઈલ, એવાં ડોક્ટર જેને મસ્તી કરતાં-કરતાં બાળકોને આપે છે પર્ફેક્ટ સારવાર. ડોક્ટર એવી સારવાર કરે છે કે બાળકો પણ ઈન્જેક્શન લેતા ડરતા નથી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.