આ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન લેતી વખતે બાળકો નથી રડતા, જુઓ વાયરલ થયેલા ડોક્ટરનો વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-05 15:54:58

ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાળકો તો ડોક્ટરને જોઈ પોતાનું દર્દ ભૂલી જાય છે પરંતુ એ જે રીતે બાળકોને ટેકલ કરે છે તે જોઈ માતા પિતા પણ ખુશ થઈ જાય છે. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ડોક્ટર ગીત ગાઈને બાળકનું ધ્યાન ભટકાવે છે અને ધીમે રહીને તેને ઈન્જેક્શન આપી દે છે. બાળક રડતો પણ નથી અને ડોક્ટર ઈન્જેક્શન આપી દે છે અને બાળકને ખબર પણ નથી. જે ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અમદાવાદના ડોક્ટર ઈમરાન પટેલ છે. 

ધ્યાન ભટકાવવા ડોક્ટર ગાય છે ગીત!

ડોક્ટરનું નામ સાંભળતા જ આપણને ડર લાગવા લાગે છે. આપણે વિચારતા હોઈએ કે ડોક્ટર ક્યાંય ઈન્જેક્શન તો આપી દેશે તો? અને એમાં પણ જો બાળકને ડોક્ટર પાસે લઈ જવાના હોય તો તો માતા પિતાની ચિંતા વધી જતી હોય છે. એવા અનેક દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેમાં બાળકોને ઈન્જેક્શન આપતી વખતે માતા વધારે ડરતી દેખાતી હોય છે. ઈન્જેક્શન આપતી વખતે બાળકના ધ્યાનને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ડોક્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ડોક્ટર ગીત ગાઈ બાળકના ધ્યાનને ભટકાવે છે. ડોક્ટર ગીત ગાતા જાય છે અને ઈન્જેક્શન આપતા જાય છે.  


નાના બાળકોને પણ નથી લાગતો ઈન્જેક્શનથી ડર

સોશિયલ મીડિયા પર ડોક્ટરનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને ડોક્ટરના કામ કરવાની રીત એટલી ગમી રહી છે કે ડોક્ટરની પ્રસંશા કરી રહ્યા છે. એવાં ડોક્ટર જે દર્દની સામે આપે છે સ્માઈલ, એવાં ડોક્ટર જેને મસ્તી કરતાં-કરતાં બાળકોને આપે છે પર્ફેક્ટ સારવાર. ડોક્ટર એવી સારવાર કરે છે કે બાળકો પણ ઈન્જેક્શન લેતા ડરતા નથી.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે