મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લુણાવાડા તાલુકાના માખલિયા ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-10 18:19:43

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ધોધમાર વરસાદના કારણે નદી, સરોવરો અને તળાવો છલોછલ ભરાયા છે. જો કે ક્યારેક આ મેઘ મહેર આફતરૂપ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામે  બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તળાવ ભરાતા તેનું પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો છે.


પરિવાર શોકમગ્ન બન્યો


મહીસાગરમાં સતત વરસાદને પગલે માખલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળવા ઓવરફ્લો થતાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગામ લોકો પાણી જોવા માટે તળાવના કિનારે પહોંચ્યા હતા. જો કે આ લોકોની સાથે  પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માંખલિયા ગામના ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો પાણી જોવા જતા ડૂબતા તેમના પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવા હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


મહીસાગર જિલ્લામાં ધમકેદાર એન્ટ્રી


રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જિલ્લાના વીરપુર, લુણાવાડા સહિત ખાનપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. લુણાવાડાનાં કોઠંબા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કોઠંબાના માખલિયગામે થી ભાથીજી મંદિર તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક ગ્રામ જનો ઘૂંટણ સમા પાણીમાં જોખમી મુસાફરી કરતા દશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લમાંમા છેલ્લાં પાંચ કલાકથી અનારાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ કલાકથી પડી રહેલા વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાંચ કલાકમાં 4ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.