મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લુણાવાડા તાલુકાના માખલિયા ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-10 18:19:43

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ધોધમાર વરસાદના કારણે નદી, સરોવરો અને તળાવો છલોછલ ભરાયા છે. જો કે ક્યારેક આ મેઘ મહેર આફતરૂપ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામે  બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તળાવ ભરાતા તેનું પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો છે.


પરિવાર શોકમગ્ન બન્યો


મહીસાગરમાં સતત વરસાદને પગલે માખલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળવા ઓવરફ્લો થતાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગામ લોકો પાણી જોવા માટે તળાવના કિનારે પહોંચ્યા હતા. જો કે આ લોકોની સાથે  પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માંખલિયા ગામના ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો પાણી જોવા જતા ડૂબતા તેમના પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવા હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


મહીસાગર જિલ્લામાં ધમકેદાર એન્ટ્રી


રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જિલ્લાના વીરપુર, લુણાવાડા સહિત ખાનપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. લુણાવાડાનાં કોઠંબા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કોઠંબાના માખલિયગામે થી ભાથીજી મંદિર તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક ગ્રામ જનો ઘૂંટણ સમા પાણીમાં જોખમી મુસાફરી કરતા દશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લમાંમા છેલ્લાં પાંચ કલાકથી અનારાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ કલાકથી પડી રહેલા વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાંચ કલાકમાં 4ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.