મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લુણાવાડા તાલુકાના માખલિયા ગામમાં બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-10 18:19:43

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, ધોધમાર વરસાદના કારણે નદી, સરોવરો અને તળાવો છલોછલ ભરાયા છે. જો કે ક્યારેક આ મેઘ મહેર આફતરૂપ પણ બને છે. જેમ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના માખલિયા ગામે  બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. તળાવ ભરાતા તેનું પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો છે.


પરિવાર શોકમગ્ન બન્યો


મહીસાગરમાં સતત વરસાદને પગલે માખલિયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તળવા ઓવરફ્લો થતાં ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ગામ લોકો પાણી જોવા માટે તળાવના કિનારે પહોંચ્યા હતા. જો કે આ લોકોની સાથે  પાણી જોવા ગયેલા બે બાળકો પાણીમાં ડૂબતા અરેરાટી વ્યાપી ગઈ હતી. માંખલિયા ગામના ધોરણ 6 અને ધોરણ 9 માં ભણતા બાળકો પાણી જોવા જતા ડૂબતા તેમના પરિવારજનો પર જાણે આસમાન તુટી પડ્યું હોય તેવા હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. 


મહીસાગર જિલ્લામાં ધમકેદાર એન્ટ્રી


રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ મહીસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જિલ્લાના વીરપુર, લુણાવાડા સહિત ખાનપુર તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. લુણાવાડાનાં કોઠંબા વિસ્તારમાં વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કોઠંબાના માખલિયગામે થી ભાથીજી મંદિર તરફના રોડ પર પાણી ફરી વળ્યા હતા. સ્થાનિક ગ્રામ જનો ઘૂંટણ સમા પાણીમાં જોખમી મુસાફરી કરતા દશ્યો સામે આવ્યા હતા. મહીસાગર જિલ્લમાંમા છેલ્લાં પાંચ કલાકથી અનારાધાર વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ કલાકથી પડી રહેલા વરસાદને કારણે ખેતરો બેટમા ફેરવાયા છે. જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં પાંચ કલાકમાં 4ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.