મિસિંગ ચાઈલ્ડ મુદ્દે હર્ષ સંઘવીએ યોજી સમીક્ષા બેઠક, ગુમ થયેલા બાળકોને શોધવા અધિકારીઓને આપી સૂચના


  • Published By :
  • Published Date : 2023-02-09 19:10:17

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ થતા બાળકો ચિંતાનો વિષય બન્યો છે. નાના ભૂલકાઓ ગુમ થાય ત્યારે તેમના પરિવારજનો પર જાણો આસમાન તુટી પડે છે. પરિવારજનો તેમના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવ્યા કરે છે તેમ છતાં અંતે  તેમને નિરાશા જ હાથ લાગે છે. આ ગંભીર સમસ્યા મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી. 


આ મિટિંગમાં શું ચર્ચા થઈ?


રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિસિંગ ચાઈલ્ડને શોધવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ હતી. તે ઉપરાંત હર્ષ સંઘવીએ ક્રાઈમ ડિટેક્શન રેશિયો વધારવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય કાયદા વ્યવસ્થાની સ્થિત અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.