મિસિંગ ચાઈલ્ડ મુદ્દે હર્ષ સંઘવીએ યોજી સમીક્ષા બેઠક, ગુમ થયેલા બાળકોને શોધવા અધિકારીઓને આપી સૂચના


  • Published By :
  • Published Date : 2023-02-09 19:10:17

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ થતા બાળકો ચિંતાનો વિષય બન્યો છે. નાના ભૂલકાઓ ગુમ થાય ત્યારે તેમના પરિવારજનો પર જાણો આસમાન તુટી પડે છે. પરિવારજનો તેમના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવ્યા કરે છે તેમ છતાં અંતે  તેમને નિરાશા જ હાથ લાગે છે. આ ગંભીર સમસ્યા મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી. 


આ મિટિંગમાં શું ચર્ચા થઈ?


રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિસિંગ ચાઈલ્ડને શોધવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ હતી. તે ઉપરાંત હર્ષ સંઘવીએ ક્રાઈમ ડિટેક્શન રેશિયો વધારવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય કાયદા વ્યવસ્થાની સ્થિત અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે