મિસિંગ ચાઈલ્ડ મુદ્દે હર્ષ સંઘવીએ યોજી સમીક્ષા બેઠક, ગુમ થયેલા બાળકોને શોધવા અધિકારીઓને આપી સૂચના


  • Published By :
  • Published Date : 2023-02-09 19:10:17

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુમ થતા બાળકો ચિંતાનો વિષય બન્યો છે. નાના ભૂલકાઓ ગુમ થાય ત્યારે તેમના પરિવારજનો પર જાણો આસમાન તુટી પડે છે. પરિવારજનો તેમના બાળકને શોધવા માટે પોલીસ સ્ટેશનોના ચક્કર લગાવ્યા કરે છે તેમ છતાં અંતે  તેમને નિરાશા જ હાથ લાગે છે. આ ગંભીર સમસ્યા મુદ્દે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલની મીટિંગ યોજી હતી. 


આ મિટિંગમાં શું ચર્ચા થઈ?


રાજ્યમાં ગુમ થયેલા બાળકો બાબતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં મિસિંગ ચાઈલ્ડને શોધવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા ચર્ચા થઈ હતી. તે ઉપરાંત હર્ષ સંઘવીએ ક્રાઈમ ડિટેક્શન રેશિયો વધારવા માટે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રાજ્ય કાયદા વ્યવસ્થાની સ્થિત અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.