ચાઈનીઝ દોરીએ લીધા અનેક લોકોના જીવ, વડોદરામાં એક વ્યક્તિ થયા દોરીને કારણે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-04 16:27:19

ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે જ્યારે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે.


ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત 

આપણે ત્યાં તહેવારોની ઉજવણી ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે આ પર્વની ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પતંગમાં વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે વધુ એક વ્યક્તિને ચાઈનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર ઈજા પહોંચી છે.


પતંગની દોરી લે છે અનેક લોકોનો ભોગ   

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીને કારણે વડોદરાનો એક યુવક મોતને ભેટ્યો હતો જ્યારે અમદાવાદમાં પણ એક બાળકને દોરીને કારણે ઘાયલ થયો હતો. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્કના નિવાસી હતા. બાઈક પર જતી વખતે એકાએક તેમના ગળામાં દોરી આવી ગઈ હતી અને તેમને ઈજા પહોંચી હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.