ચાઈનીઝ દોરીએ લીધા અનેક લોકોના જીવ, વડોદરામાં એક વ્યક્તિ થયા દોરીને કારણે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-04 16:27:19

ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે જ્યારે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે.


ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત 

આપણે ત્યાં તહેવારોની ઉજવણી ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે આ પર્વની ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પતંગમાં વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે વધુ એક વ્યક્તિને ચાઈનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર ઈજા પહોંચી છે.


પતંગની દોરી લે છે અનેક લોકોનો ભોગ   

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીને કારણે વડોદરાનો એક યુવક મોતને ભેટ્યો હતો જ્યારે અમદાવાદમાં પણ એક બાળકને દોરીને કારણે ઘાયલ થયો હતો. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્કના નિવાસી હતા. બાઈક પર જતી વખતે એકાએક તેમના ગળામાં દોરી આવી ગઈ હતી અને તેમને ઈજા પહોંચી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે