ચાઈનીઝ દોરીએ લીધા અનેક લોકોના જીવ, વડોદરામાં એક વ્યક્તિ થયા દોરીને કારણે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-04 16:27:19

ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે જ્યારે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે.


ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત 

આપણે ત્યાં તહેવારોની ઉજવણી ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે આ પર્વની ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પતંગમાં વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે વધુ એક વ્યક્તિને ચાઈનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર ઈજા પહોંચી છે.


પતંગની દોરી લે છે અનેક લોકોનો ભોગ   

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીને કારણે વડોદરાનો એક યુવક મોતને ભેટ્યો હતો જ્યારે અમદાવાદમાં પણ એક બાળકને દોરીને કારણે ઘાયલ થયો હતો. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્કના નિવાસી હતા. બાઈક પર જતી વખતે એકાએક તેમના ગળામાં દોરી આવી ગઈ હતી અને તેમને ઈજા પહોંચી હતી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.