ચાઈનીઝ દોરીએ લીધા અનેક લોકોના જીવ, વડોદરામાં એક વ્યક્તિ થયા દોરીને કારણે ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-04 16:27:19

ઉત્તરાયણ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે જ્યારે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે વધુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. આ અગાઉ પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે.


ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિ થયા ઈજાગ્રસ્ત 

આપણે ત્યાં તહેવારોની ઉજવણી ઘણા સમય પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ હવે નજીક છે ત્યારે આ પર્વની ઉજવણી હમણાંથી જ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ પતંગમાં વપરાતી ચાઈનીઝ દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી છે જ્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ત્યારે વધુ એક વ્યક્તિને ચાઈનીઝ દોરીને કારણે ઈજા પહોંચી છે. 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર ઈજા પહોંચી છે.


પતંગની દોરી લે છે અનેક લોકોનો ભોગ   

ઉત્તરાયણ પહેલા જ ચાઈનીઝ દોરીને કારણે વડોદરાનો એક યુવક મોતને ભેટ્યો હતો જ્યારે અમદાવાદમાં પણ એક બાળકને દોરીને કારણે ઘાયલ થયો હતો. ત્યારે ચાઈનીઝ દોરીને કારણે 46 વર્ષીય વ્યક્તિને ઈજા પહોંચી છે. અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્કના નિવાસી હતા. બાઈક પર જતી વખતે એકાએક તેમના ગળામાં દોરી આવી ગઈ હતી અને તેમને ઈજા પહોંચી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.