જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથવાત! રાજૌરીમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રક્ષામંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-06 14:33:09

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર કાંડી વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો છે. જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી આર્મી જવાનોને મળી હતી. જે બાદ સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજૌરીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

 

શહીદ જવાનોના નામ લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગી છે.

શુક્રવારે થયેલા હુમલામાં પાંચ જવાન થયા હતા શહીદ!

છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર રાત્રે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગુરૂવારે બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુરૂવાર રાત્રે ફાયરિંગ થયું હતું. આ હમલામાં સેનાના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે બાદ શુક્રવારે પણ સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 

રાજૌરીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહ!

જંગલમાં છૂપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ તે જ આતંકવાદીઓ છે જેમણે આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. શનિવારે કરહમ કુંજરમાં પણ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ હતી. સવારે ચાર વાગ્યાથી આ અથડામણ શરૂ થઈ હતી જે હમણાં પણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં એક આતંકવાદી ઠાર થયો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ઘાયલ થયો છે. AK 47 પણ મળી આવી છે. ત્યારે અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તે સિવાય જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.