જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથવાત! રાજૌરીમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને રક્ષામંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ!


  • Published By :
  • Published Date : 2023-05-06 14:33:09

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી અનુસાર કાંડી વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો છે. જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી આર્મી જવાનોને મળી હતી. જે બાદ સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ શુક્રવારે થયેલી અથડામણમાં પાંચ જવાનો શહીદ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. રાજૌરીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

 

શહીદ જવાનોના નામ લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગી છે.

શુક્રવારે થયેલા હુમલામાં પાંચ જવાન થયા હતા શહીદ!

છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. શુક્રવાર રાત્રે કાંડી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ગુરૂવારે બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુરૂવાર રાત્રે ફાયરિંગ થયું હતું. આ હમલામાં સેનાના જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે બાદ શુક્રવારે પણ સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 

રાજૌરીની મુલાકાતે રક્ષામંત્રી રાજનાથસિંહ!

જંગલમાં છૂપાયા હોવાની જાણકારી સેનાને મળી હતી જેને લઈ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ તે જ આતંકવાદીઓ છે જેમણે આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. શનિવારે કરહમ કુંજરમાં પણ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે આજે સવારે અથડામણ થઈ હતી. સવારે ચાર વાગ્યાથી આ અથડામણ શરૂ થઈ હતી જે હમણાં પણ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં એક આતંકવાદી ઠાર થયો હતો જ્યારે અન્ય એક આતંકવાદી ઘાયલ થયો છે. AK 47 પણ મળી આવી છે. ત્યારે અથડામણમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવા રાજનાથ સિંહ પહોંચ્યા હતા. તે સિવાય જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે પણ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.