વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:50:03

વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી 


વડોદરાના માણેજા ગામમાં ગઈકાલે મોડી રાતે ગણેશજીની  વિસર્જનયાત્રામાં યોજેલા ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. અમુક યુવાનોએ ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી મારામારી કરી હતી. મારામારી થતાં મહિલાઓ અને પુરુષોનું ટોળું બચવા માટે ડીજેમાંથી ભાગી ગયું હતું. 

 

કેમ મારામારી થઈ હતી જાણો

માણેજામાં ગઈકાલે રાત્રે ગણેશજીના વિસર્જન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી લોકોએ વિસર્જન યાત્રાની તૈયારી ચાલુ કરી હતી અને રાત્રે વિસર્જન કરવા માટે ડીજે સાથે ગયા હતા. ડીજેના તાલે નાચતા યુવાનો તળાવ તરફ આગળ વધતા હતા ત્યારે ત્રણ માથાભારે યુવાનો નાચવા માટે ટોળામાં ઘૂસી જાય છે. યુવાનોને જવા માટે કહેતા યુવાનો મારામારી કરવા લાગ્યા હતા અને ટોળું ભેગું થઈ ગયું હતું. યુવાનોએ મારામારી કરતા ડીજેમાં નાચતા લોકો બચવા માટે ભાગી ગયા હતા. પોલીસ ગણેશ વિસર્જન યાત્રામાં હાજર હતી પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"