વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:50:03

વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી 


વડોદરાના માણેજા ગામમાં ગઈકાલે મોડી રાતે ગણેશજીની  વિસર્જનયાત્રામાં યોજેલા ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. અમુક યુવાનોએ ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી મારામારી કરી હતી. મારામારી થતાં મહિલાઓ અને પુરુષોનું ટોળું બચવા માટે ડીજેમાંથી ભાગી ગયું હતું. 

 

કેમ મારામારી થઈ હતી જાણો

માણેજામાં ગઈકાલે રાત્રે ગણેશજીના વિસર્જન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી લોકોએ વિસર્જન યાત્રાની તૈયારી ચાલુ કરી હતી અને રાત્રે વિસર્જન કરવા માટે ડીજે સાથે ગયા હતા. ડીજેના તાલે નાચતા યુવાનો તળાવ તરફ આગળ વધતા હતા ત્યારે ત્રણ માથાભારે યુવાનો નાચવા માટે ટોળામાં ઘૂસી જાય છે. યુવાનોને જવા માટે કહેતા યુવાનો મારામારી કરવા લાગ્યા હતા અને ટોળું ભેગું થઈ ગયું હતું. યુવાનોએ મારામારી કરતા ડીજેમાં નાચતા લોકો બચવા માટે ભાગી ગયા હતા. પોલીસ ગણેશ વિસર્જન યાત્રામાં હાજર હતી પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.