વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:50:03

વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી 


વડોદરાના માણેજા ગામમાં ગઈકાલે મોડી રાતે ગણેશજીની  વિસર્જનયાત્રામાં યોજેલા ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. અમુક યુવાનોએ ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી મારામારી કરી હતી. મારામારી થતાં મહિલાઓ અને પુરુષોનું ટોળું બચવા માટે ડીજેમાંથી ભાગી ગયું હતું. 

 

કેમ મારામારી થઈ હતી જાણો

માણેજામાં ગઈકાલે રાત્રે ગણેશજીના વિસર્જન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી લોકોએ વિસર્જન યાત્રાની તૈયારી ચાલુ કરી હતી અને રાત્રે વિસર્જન કરવા માટે ડીજે સાથે ગયા હતા. ડીજેના તાલે નાચતા યુવાનો તળાવ તરફ આગળ વધતા હતા ત્યારે ત્રણ માથાભારે યુવાનો નાચવા માટે ટોળામાં ઘૂસી જાય છે. યુવાનોને જવા માટે કહેતા યુવાનો મારામારી કરવા લાગ્યા હતા અને ટોળું ભેગું થઈ ગયું હતું. યુવાનોએ મારામારી કરતા ડીજેમાં નાચતા લોકો બચવા માટે ભાગી ગયા હતા. પોલીસ ગણેશ વિસર્જન યાત્રામાં હાજર હતી પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .