વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 16:50:03

વડોદરાના માણેજામાં ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી 


વડોદરાના માણેજા ગામમાં ગઈકાલે મોડી રાતે ગણેશજીની  વિસર્જનયાત્રામાં યોજેલા ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. અમુક યુવાનોએ ડીજેમાં ડાન્સ કરવા ઘૂસી મારામારી કરી હતી. મારામારી થતાં મહિલાઓ અને પુરુષોનું ટોળું બચવા માટે ડીજેમાંથી ભાગી ગયું હતું. 

 

કેમ મારામારી થઈ હતી જાણો

માણેજામાં ગઈકાલે રાત્રે ગણેશજીના વિસર્જન માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી લોકોએ વિસર્જન યાત્રાની તૈયારી ચાલુ કરી હતી અને રાત્રે વિસર્જન કરવા માટે ડીજે સાથે ગયા હતા. ડીજેના તાલે નાચતા યુવાનો તળાવ તરફ આગળ વધતા હતા ત્યારે ત્રણ માથાભારે યુવાનો નાચવા માટે ટોળામાં ઘૂસી જાય છે. યુવાનોને જવા માટે કહેતા યુવાનો મારામારી કરવા લાગ્યા હતા અને ટોળું ભેગું થઈ ગયું હતું. યુવાનોએ મારામારી કરતા ડીજેમાં નાચતા લોકો બચવા માટે ભાગી ગયા હતા. પોલીસ ગણેશ વિસર્જન યાત્રામાં હાજર હતી પરંતુ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.