90 ટકા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા ધોરણ 12 બોર્ડનું સંસ્કૃતનું પેપર રદ્દ કરાયું, જાણો હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-03-25 19:24:27

ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ભૂલો સામે આવી હતી. ત્યારે ધોરણ 12માં લેવાતી સંસ્કૃત વિષયની પરીક્ષા 29મી તારીખે યોજાવાની છે. પહેલા આ પેપર 20 માર્ચના રોજ યોજાઈ હતી. પરંતુ 20 તારીખે યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃત પેપરમાં લગભગ 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સંસ્કૃત પરીક્ષા 29 તારીખે લેવામાં આવશે.


શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી! 

20 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. મોટા ભાગની પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે બોર્ડ મેમ્બરોને રજૂઆત વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર 29 માર્ચે લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


આ પહેલા પણ પરીક્ષા પેપરમાં જોવા મળી હતી ગડબડ!

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી ભાષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંગ્રજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓને 6 માર્ક્સનું નુકસાન થયું છે. સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં પણ ગડબડ જોવા મળી હતી. પેપરમાં એસએપી પ્રમાણે સ્પિચની અથવામાં અરજી પૂછવામાં આવતી હોય છે. પરંતુ તે પેપરમાં તે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું ન હતું, બોર્ડની ભૂલને કારણે વિદ્યાર્થીઓને 6 માકર્સનું નુકસાન થયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ સરકાર પાસેથી  આશા રાખી રહ્યા કે કોઈ તો પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય. ક્યાં સુધી વિદ્યાર્થીને ભોગ બનવું પડશે તે એક પ્રશ્ન છે.    

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.