90 ટકા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા ધોરણ 12 બોર્ડનું સંસ્કૃતનું પેપર રદ્દ કરાયું, જાણો હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-03-25 19:24:27

ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ભૂલો સામે આવી હતી. ત્યારે ધોરણ 12માં લેવાતી સંસ્કૃત વિષયની પરીક્ષા 29મી તારીખે યોજાવાની છે. પહેલા આ પેપર 20 માર્ચના રોજ યોજાઈ હતી. પરંતુ 20 તારીખે યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃત પેપરમાં લગભગ 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સંસ્કૃત પરીક્ષા 29 તારીખે લેવામાં આવશે.


શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી! 

20 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. મોટા ભાગની પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે બોર્ડ મેમ્બરોને રજૂઆત વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર 29 માર્ચે લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


આ પહેલા પણ પરીક્ષા પેપરમાં જોવા મળી હતી ગડબડ!

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી ભાષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંગ્રજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓને 6 માર્ક્સનું નુકસાન થયું છે. સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં પણ ગડબડ જોવા મળી હતી. પેપરમાં એસએપી પ્રમાણે સ્પિચની અથવામાં અરજી પૂછવામાં આવતી હોય છે. પરંતુ તે પેપરમાં તે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું ન હતું, બોર્ડની ભૂલને કારણે વિદ્યાર્થીઓને 6 માકર્સનું નુકસાન થયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ સરકાર પાસેથી  આશા રાખી રહ્યા કે કોઈ તો પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય. ક્યાં સુધી વિદ્યાર્થીને ભોગ બનવું પડશે તે એક પ્રશ્ન છે.    

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.