90 ટકા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા ધોરણ 12 બોર્ડનું સંસ્કૃતનું પેપર રદ્દ કરાયું, જાણો હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-03-25 19:24:27

ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ભૂલો સામે આવી હતી. ત્યારે ધોરણ 12માં લેવાતી સંસ્કૃત વિષયની પરીક્ષા 29મી તારીખે યોજાવાની છે. પહેલા આ પેપર 20 માર્ચના રોજ યોજાઈ હતી. પરંતુ 20 તારીખે યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃત પેપરમાં લગભગ 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સંસ્કૃત પરીક્ષા 29 તારીખે લેવામાં આવશે.


શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી! 

20 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. મોટા ભાગની પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે બોર્ડ મેમ્બરોને રજૂઆત વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર 29 માર્ચે લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


આ પહેલા પણ પરીક્ષા પેપરમાં જોવા મળી હતી ગડબડ!

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી ભાષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંગ્રજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓને 6 માર્ક્સનું નુકસાન થયું છે. સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં પણ ગડબડ જોવા મળી હતી. પેપરમાં એસએપી પ્રમાણે સ્પિચની અથવામાં અરજી પૂછવામાં આવતી હોય છે. પરંતુ તે પેપરમાં તે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું ન હતું, બોર્ડની ભૂલને કારણે વિદ્યાર્થીઓને 6 માકર્સનું નુકસાન થયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ સરકાર પાસેથી  આશા રાખી રહ્યા કે કોઈ તો પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય. ક્યાં સુધી વિદ્યાર્થીને ભોગ બનવું પડશે તે એક પ્રશ્ન છે.    

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.