90 ટકા કોર્સ બહારના પ્રશ્નો પૂછાતા ધોરણ 12 બોર્ડનું સંસ્કૃતનું પેપર રદ્દ કરાયું, જાણો હવે કઈ તારીખે લેવાશે પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-03-25 19:24:27

ગુજરાતમાં હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ભૂલો સામે આવી હતી. ત્યારે ધોરણ 12માં લેવાતી સંસ્કૃત વિષયની પરીક્ષા 29મી તારીખે યોજાવાની છે. પહેલા આ પેપર 20 માર્ચના રોજ યોજાઈ હતી. પરંતુ 20 તારીખે યોજાયેલી પરીક્ષામાં સંસ્કૃત પેપરમાં લગભગ 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાયા હતા. જેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. શિક્ષણ બોર્ડને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ હવે સંસ્કૃત પરીક્ષા 29 તારીખે લેવામાં આવશે.


શિક્ષણ બોર્ડની ગંભીર બેદરકારી સામે આવી! 

20 તારીખે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાની પરીક્ષા આપી હતી. પરંતુ આ પરીક્ષામાં 90 ટકા જેટલા પ્રશ્નો જૂના કોર્સ પ્રમાણે પૂછવામાં આવ્યા હતા. મોટા ભાગની પ્રશ્નો જૂના કોર્સમાંથી પૂછાતા વિદ્યાર્થીઓમાં તેમજ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પરીક્ષા ફરીથી લેવામાં આવે તે માટે બોર્ડ મેમ્બરોને રજૂઆત વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ પેપર 29 માર્ચે લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 580 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 


આ પહેલા પણ પરીક્ષા પેપરમાં જોવા મળી હતી ગડબડ!

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંગ્રેજી ભાષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અંગ્રજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. જેને કારણે વિદ્યાર્થીઓને 6 માર્ક્સનું નુકસાન થયું છે. સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં પણ ગડબડ જોવા મળી હતી. પેપરમાં એસએપી પ્રમાણે સ્પિચની અથવામાં અરજી પૂછવામાં આવતી હોય છે. પરંતુ તે પેપરમાં તે રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યું ન હતું, બોર્ડની ભૂલને કારણે વિદ્યાર્થીઓને 6 માકર્સનું નુકસાન થયું હતું. ત્યારે વિદ્યાર્થીઓ સરકાર પાસેથી  આશા રાખી રહ્યા કે કોઈ તો પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાય. ક્યાં સુધી વિદ્યાર્થીને ભોગ બનવું પડશે તે એક પ્રશ્ન છે.    

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે