જાહેર થયું ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ, વિજ્ઞાન પ્રવાહનું આવ્યું 65.58 ટકા પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-02 10:26:51

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેબસાઈટ પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ 67.18 ટકા આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. મોરબી સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. 


1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

દરેક વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાનું પરિણામ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી મળીને 1.10 રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટમાં 1.26 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો એ ગ્રુપના પરિણામની વાત કરીએ તો 72.27 ટકા નોંધાયું હતું જ્યારે ગ્રુપ બીનું પરિણામ 61.71 ટકા નોંધાયું છે. મહત્વનું છે કે દરેક વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.    


આ નંબર પર વોટ્સએપ કરી મેળવી શકાશે રિઝલ્ટ!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે gseb દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. તે ઉપરાંત વોટ્સએપ પર વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે. પ્રથમ વખત છે જ્યારે પરિણામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6357300971 નંબર પર બેઠક નંબર મોકલી રિઝલ્ટ મેળવી શકાશે.જો આ પ્રયોગ સફળ જશે તો આવનાર સમયમાં આ પદ્ધતિ અન્ય પરીક્ષાઓ દરમિયાન વાપરવામાં આવશે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.