જાહેર થયું ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ, વિજ્ઞાન પ્રવાહનું આવ્યું 65.58 ટકા પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-02 10:26:51

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેબસાઈટ પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ 67.18 ટકા આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. મોરબી સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. 


1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

દરેક વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાનું પરિણામ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી મળીને 1.10 રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટમાં 1.26 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો એ ગ્રુપના પરિણામની વાત કરીએ તો 72.27 ટકા નોંધાયું હતું જ્યારે ગ્રુપ બીનું પરિણામ 61.71 ટકા નોંધાયું છે. મહત્વનું છે કે દરેક વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.    


આ નંબર પર વોટ્સએપ કરી મેળવી શકાશે રિઝલ્ટ!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે gseb દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. તે ઉપરાંત વોટ્સએપ પર વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે. પ્રથમ વખત છે જ્યારે પરિણામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6357300971 નંબર પર બેઠક નંબર મોકલી રિઝલ્ટ મેળવી શકાશે.જો આ પ્રયોગ સફળ જશે તો આવનાર સમયમાં આ પદ્ધતિ અન્ય પરીક્ષાઓ દરમિયાન વાપરવામાં આવશે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.