જાહેર થયું ધોરણ 12 સાયન્સ પરીક્ષાનું પરિણામ, વિજ્ઞાન પ્રવાહનું આવ્યું 65.58 ટકા પરિણામ


  • Published By :
  • Published Date : 2023-05-02 10:26:51

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વેબસાઈટ પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ ઈંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓનું પરિણામ 67.18 ટકા આવ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 65.32 ટકા આવ્યું છે. મોરબી સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 64.66 ટકા આવ્યું છે. 


1 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા!

દરેક વિદ્યાર્થી માટે બોર્ડની પરીક્ષાનું પરિણામ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એ અને ગ્રુપ બી મળીને 1.10 રેગ્યુલર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે રીપિટર 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટમાં 1.26 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જો એ ગ્રુપના પરિણામની વાત કરીએ તો 72.27 ટકા નોંધાયું હતું જ્યારે ગ્રુપ બીનું પરિણામ 61.71 ટકા નોંધાયું છે. મહત્વનું છે કે દરેક વર્ષની જેમ આ વખતે પણ દાહોદ, નર્મદા, છોટાઉદેપુરનું પરિણામ સૌથી ઓછું નોંધાયું છે.    


આ નંબર પર વોટ્સએપ કરી મેળવી શકાશે રિઝલ્ટ!

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે gseb દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ www.gseb.org પર જોઈ શકાશે. તે ઉપરાંત વોટ્સએપ પર વિદ્યાર્થી પોતાનો બેઠક નંબર મોકલી પરિણામ મેળવી શકશે. પ્રથમ વખત છે જ્યારે પરિણામ માટે વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 6357300971 નંબર પર બેઠક નંબર મોકલી રિઝલ્ટ મેળવી શકાશે.જો આ પ્રયોગ સફળ જશે તો આવનાર સમયમાં આ પદ્ધતિ અન્ય પરીક્ષાઓ દરમિયાન વાપરવામાં આવશે.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે