હવે સરકારના વર્ગ-3ના કર્મચારી બનવા માટે એક જ પરીક્ષા, જાણો વિગત?


  • Published By :
  • Published Date : 2023-02-17 22:00:35

રાજ્યમાં સરકારી ભરતી માટે  યોજાતી પરીક્ષાઓ યોજાય તે પહેલા જ પેપર લિકની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે સરકારે આ પરીક્ષાઓ મોકુફ રાખવી પડે છે અને રાજ્ય સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનો નિવેડો આવે માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે તમામ સરકારી વિભાગોની ભરતી માટે એક કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આયોજીત કરશે.


તમામ ભરતી માટે એક જ પરીક્ષા


રાજ્ય સરકારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો હવે એક જ સરકારી પરીક્ષા પાસ કરીને  સરકારી નોકરી મેળવી શકશે. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે  જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.


ક્લાસ-3 ની ખાલી જગ્યાઓ ભરાશે


રાજ્ય સરકારના તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ખાલી જગ્યાઓ CET પરિક્ષા હેઠળ ભરાશે. તેમાં ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. રાજ્યમાં સરકારી ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોએ ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.


પ્રાથમિક્તાના આધારે પોસ્ટિંગ


આ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સરકારી ભરતી પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે ઉમેદવારે પોતાની પ્રાથમિક્તા નક્કી કરવાની રહેશે. તે પ્રાથમિક્તાના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.