હવે સરકારના વર્ગ-3ના કર્મચારી બનવા માટે એક જ પરીક્ષા, જાણો વિગત?


  • Published By :
  • Published Date : 2023-02-17 22:00:35

રાજ્યમાં સરકારી ભરતી માટે  યોજાતી પરીક્ષાઓ યોજાય તે પહેલા જ પેપર લિકની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે સરકારે આ પરીક્ષાઓ મોકુફ રાખવી પડે છે અને રાજ્ય સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનો નિવેડો આવે માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે તમામ સરકારી વિભાગોની ભરતી માટે એક કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આયોજીત કરશે.


તમામ ભરતી માટે એક જ પરીક્ષા


રાજ્ય સરકારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો હવે એક જ સરકારી પરીક્ષા પાસ કરીને  સરકારી નોકરી મેળવી શકશે. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે  જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.


ક્લાસ-3 ની ખાલી જગ્યાઓ ભરાશે


રાજ્ય સરકારના તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ખાલી જગ્યાઓ CET પરિક્ષા હેઠળ ભરાશે. તેમાં ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. રાજ્યમાં સરકારી ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોએ ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.


પ્રાથમિક્તાના આધારે પોસ્ટિંગ


આ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સરકારી ભરતી પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે ઉમેદવારે પોતાની પ્રાથમિક્તા નક્કી કરવાની રહેશે. તે પ્રાથમિક્તાના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.