હવે સરકારના વર્ગ-3ના કર્મચારી બનવા માટે એક જ પરીક્ષા, જાણો વિગત?


  • Published By :
  • Published Date : 2023-02-17 22:00:35

રાજ્યમાં સરકારી ભરતી માટે  યોજાતી પરીક્ષાઓ યોજાય તે પહેલા જ પેપર લિકની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે સરકારે આ પરીક્ષાઓ મોકુફ રાખવી પડે છે અને રાજ્ય સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનો નિવેડો આવે માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે તમામ સરકારી વિભાગોની ભરતી માટે એક કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આયોજીત કરશે.


તમામ ભરતી માટે એક જ પરીક્ષા


રાજ્ય સરકારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો હવે એક જ સરકારી પરીક્ષા પાસ કરીને  સરકારી નોકરી મેળવી શકશે. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે  જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.


ક્લાસ-3 ની ખાલી જગ્યાઓ ભરાશે


રાજ્ય સરકારના તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ખાલી જગ્યાઓ CET પરિક્ષા હેઠળ ભરાશે. તેમાં ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. રાજ્યમાં સરકારી ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોએ ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.


પ્રાથમિક્તાના આધારે પોસ્ટિંગ


આ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સરકારી ભરતી પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે ઉમેદવારે પોતાની પ્રાથમિક્તા નક્કી કરવાની રહેશે. તે પ્રાથમિક્તાના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.