હવે સરકારના વર્ગ-3ના કર્મચારી બનવા માટે એક જ પરીક્ષા, જાણો વિગત?


  • Published By :
  • Published Date : 2023-02-17 22:00:35

રાજ્યમાં સરકારી ભરતી માટે  યોજાતી પરીક્ષાઓ યોજાય તે પહેલા જ પેપર લિકની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે સરકારે આ પરીક્ષાઓ મોકુફ રાખવી પડે છે અને રાજ્ય સરકારને પણ લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. આ બધી સમસ્યાઓનો નિવેડો આવે માટે હવે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર હવે તમામ સરકારી વિભાગોની ભરતી માટે એક કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET) આયોજીત કરશે.


તમામ ભરતી માટે એક જ પરીક્ષા


રાજ્ય સરકારમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો હવે એક જ સરકારી પરીક્ષા પાસ કરીને  સરકારી નોકરી મેળવી શકશે. પોલીસ વિભાગ, પંચાયત મંડળ અને અલગ અલગ ભરતી બોર્ડ નહી હોય પરંતુ તમામ ભરતીઓ માટે એક જ પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમાં પાસ થનારા ઉમેદવારને તેની પસંદગીના આધારે  જેમ જેમ જગ્યા ખાલી પડશે તેમ તેમ ખાતાની ફાળવણી કરવામાં આવશે.


ક્લાસ-3 ની ખાલી જગ્યાઓ ભરાશે


રાજ્ય સરકારના તમામ વિભાગો પેટા વિભાગો અને બોર્ડ નિગમની ખાલી જગ્યાઓ CET પરિક્ષા હેઠળ ભરાશે. તેમાં ક્લાસ-3 ના પદને આવરી લેવામાં આવશે. રાજ્યમાં સરકારી ભરતીની એકસાથે મોટી જાહેરાત કરવામાં આવશે. ઉમેદવારોએ ક્લાસ 3ની પરીક્ષા માટે એક જ પરીક્ષા આપવાની રહેશે. ત્યાર બાદ માર્કના આધારે વિભાગો ફાળવવામાં આવશે.


પ્રાથમિક્તાના આધારે પોસ્ટિંગ


આ કોમન એન્ટરન્સ ટેસ્ટ (CET)ને લઈ ગુજરાત સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે સરકારી ભરતી પરીક્ષાનું ફોર્મ ભરતા સમયે ઉમેદવારે પોતાની પ્રાથમિક્તા નક્કી કરવાની રહેશે. તે પ્રાથમિક્તાના આધારે તેને વિવિધ વિભાગોમાં પાસ થયા બાદ પોસ્ટિંગ આપવામાં આવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.