રાજસ્થાનના બે દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજેનો ટેસ્ટ પોઝિટિવ


  • Published By :
  • Published Date : 2023-04-04 18:58:37

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

  

અશોક ગેહલોત  ટ્વીટ કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે, અને તબીબોની સલાહ પ્રમાણે તેઓ થોડા દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેશે.


વસુંધરા રાજે પણ સંક્રમિત


રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તે અંગે માહિતી આપી છે. વસુંધરાએ ટ્વીટ કર્યું, કોવિડ ટેસ્ટની રિપોર્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સલાહ પર હું સંપુર્ણપણે ક્વોરન્ટાઈન છું. રાજેએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.