રાજસ્થાનના બે દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજેનો ટેસ્ટ પોઝિટિવ


  • Published By :
  • Published Date : 2023-04-04 18:58:37

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

  

અશોક ગેહલોત  ટ્વીટ કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે, અને તબીબોની સલાહ પ્રમાણે તેઓ થોડા દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેશે.


વસુંધરા રાજે પણ સંક્રમિત


રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તે અંગે માહિતી આપી છે. વસુંધરાએ ટ્વીટ કર્યું, કોવિડ ટેસ્ટની રિપોર્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સલાહ પર હું સંપુર્ણપણે ક્વોરન્ટાઈન છું. રાજેએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.