રાજસ્થાનના બે દિગ્ગજ નેતા કોરોના સંક્રમિત, CM અશોક ગેહલોત અને પૂર્વ CM વસુંધરા રાજેનો ટેસ્ટ પોઝિટિવ


  • Published By :
  • Published Date : 2023-04-04 18:58:37

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે કોરોના સંક્રમિત થયા છે. બંને નેતાઓએ ટ્વીટ કરીને જાણકારી આપી છે.

  

અશોક ગેહલોત  ટ્વીટ કર્યું


રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમને કોરોનાના હળવા લક્ષણો છે, અને તબીબોની સલાહ પ્રમાણે તેઓ થોડા દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેશે.


વસુંધરા રાજે પણ સંક્રમિત


રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે મંગળવારે ટ્વીટ કરીને તે અંગે માહિતી આપી છે. વસુંધરાએ ટ્વીટ કર્યું, કોવિડ ટેસ્ટની રિપોર્ટમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સલાહ પર હું સંપુર્ણપણે ક્વોરન્ટાઈન છું. રાજેએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે પણ પોતાનો ટેસ્ટ કરાવે અને સાવધાની રાખે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.