રાજસ્થાનના CMએ 7 મિનિટ સુધી જુનું બજેટ વાંચ્યું, ભૂલ સમજાતા માફી માગી, વિપક્ષે હોબાળો મચાવ્યો


  • Published By :
  • Published Date : 2023-02-10 14:39:15

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં બજેટ પર ભાષણ આપતી વખતે જૂનું ભાષણ વાંચ્યું. જે બાદ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું.


વિધાનસભામાં હોબાળો 


રાજસ્થાનના બજેટની શરૂઆતમાં આજે વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂની જાહેરાતો વાંચી હતી. આ ભૂલ પર વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો વાલ પાસે આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે.હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે મોકુફ કરવામાં આવી હતી. તેને અધિકારીઓની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. જો કે સીએમ ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી છે, અને તપાસનો આદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી ગૃહમાં બજેટ રજૂ કરશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.