રાજસ્થાનના CMએ 7 મિનિટ સુધી જુનું બજેટ વાંચ્યું, ભૂલ સમજાતા માફી માગી, વિપક્ષે હોબાળો મચાવ્યો


  • Published By :
  • Published Date : 2023-02-10 14:39:15

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં બજેટ પર ભાષણ આપતી વખતે જૂનું ભાષણ વાંચ્યું. જે બાદ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું.


વિધાનસભામાં હોબાળો 


રાજસ્થાનના બજેટની શરૂઆતમાં આજે વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂની જાહેરાતો વાંચી હતી. આ ભૂલ પર વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો વાલ પાસે આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે.હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે મોકુફ કરવામાં આવી હતી. તેને અધિકારીઓની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. જો કે સીએમ ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી છે, અને તપાસનો આદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી ગૃહમાં બજેટ રજૂ કરશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.