રાજસ્થાનના CMએ 7 મિનિટ સુધી જુનું બજેટ વાંચ્યું, ભૂલ સમજાતા માફી માગી, વિપક્ષે હોબાળો મચાવ્યો


  • Published By :
  • Published Date : 2023-02-10 14:39:15

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં બજેટ પર ભાષણ આપતી વખતે જૂનું ભાષણ વાંચ્યું. જે બાદ રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીનું બજેટ ભાષણ ત્રીસ મિનિટ માટે રોકી દેવામાં આવ્યું હતું. વિપક્ષનો આરોપ છે કે મુખ્યમંત્રી ગેહલોતે જૂનું બજેટ વાંચ્યું.


વિધાનસભામાં હોબાળો 


રાજસ્થાનના બજેટની શરૂઆતમાં આજે વિધાનસભામાં હોબાળો થયો હતો. સીએમ અશોક ગેહલોતે બજેટ ભાષણમાં કેટલીક જૂની જાહેરાતો વાંચી હતી. આ ભૂલ પર વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યો વાલ પાસે આવ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે સરકારે બજેટ લીક કર્યું છે.હંગામાને પગલે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે મોકુફ કરવામાં આવી હતી. તેને અધિકારીઓની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. જો કે સીએમ ગેહલોતે વિધાનસભામાં આ ભૂલ માટે માફી માંગી છે, અને તપાસનો આદેશ આપ્યો છે. હવે તેઓ ફરીથી ગૃહમાં બજેટ રજૂ કરશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.