CM ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો?


  • Published By :
  • Published Date : 2022-12-12 20:20:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહ બાદ આજે સાંજે 6 વાગ્યે ગુજરાતની નવી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. 


કયા મંત્રીને કયું ખાતું ફાળવાયું?


1-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમની પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ,મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને  કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિતના વિભાગનો હવાલો રાખ્યો છે.

મંત્રીનું નામ  વિભાગ


2- કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ

3- ઋષિકેશ પટેલ - શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી

4- રાઘવજી પટેલ -  કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

5- કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા

6- મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ

7- કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ

8- ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

9- બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર


રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો


1- હર્ષ સંઘવી        -ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

2- જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,


રાજ્ય કક્ષાના મંત્રી- વિભાગ


1- પરસોત્તમ સોલંકી-   મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન

2- બચુભાઈ ખાબડ -   પંચાયત અને કૃષિ

3- મુકેશ પટેલ -           વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા

4-પ્રફુલ પાનસેરીયા-     સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

5- ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા

6- કુંવરજી હળપતિ-     આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર


કોણ બન્યું મુખ્ય દંડક અને નાયબ દંડક?


વિધાનસભામાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની નિમણૂક મુખ્ય દંડક, નાયબ દંડક તરીકે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી ઉપરાંત અમરેલીના કૌશીક વેકરીયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પણ નાયબ દંડક તરીતે નિમણૂક થશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.