CM ભૂપેન્દ્ર સરકારમાં મંત્રીઓને કરાઈ ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ સોંપાયો?


  • Published By :
  • Published Date : 2022-12-12 20:20:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં 8 કેબિનેટ મંત્રી, 2 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભાર, 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ સમારોહ બાદ આજે સાંજે 6 વાગ્યે ગુજરાતની નવી સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા છે. 


કયા મંત્રીને કયું ખાતું ફાળવાયું?


1-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમની પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ,મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને  કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિતના વિભાગનો હવાલો રાખ્યો છે.

મંત્રીનું નામ  વિભાગ


2- કનુભાઈ દેસાઈ - નાણા ઉર્જા અને પેટ્રો કેમિકલ

3- ઋષિકેશ પટેલ - શિક્ષણ મંત્રી, આરોગ્ય અને કાયદા મંત્રી, સાથે ઉચ્ચ શિક્ષણની જવાબદારી

4- રાઘવજી પટેલ -  કૃષિ પશુપાલન, ગૌ સંવર્ધન,મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

5- કુંવરજી બાવળિયા - પાણી પુરવઠા

6- મુળુભાઇ બેરા - પ્રવાસન,વન અને પર્યાવરણ

7- કુબેર ડિંડોર - પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ,આદિજાતિ વિકાસ વિભાગ

8- ભાનુબેન બાબરીયા - સામાજિક ન્યાય અધિકારીતા

9- બળવંતસિંહ રાજપૂત - ઉદ્યોગ-લઘુ, શુક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ,કુટીર,ખાદી અને ગ્રામોધ્યોગ,નાગરીક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર


રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો


1- હર્ષ સંઘવી        -ગૃહ રાજ્યમંત્રી,યુવા સાંસ્કૃતિક અને રમત ગમત વિભાગ 

2- જગદીશ પંચાલ -સહકાર, મિઠા ઉદ્યોગ,છાપકામ,લેખન સામગ્રીનો સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ,


રાજ્ય કક્ષાના મંત્રી- વિભાગ


1- પરસોત્તમ સોલંકી-   મત્સ્ય ઉદ્યોગ અને પશુ પાલન

2- બચુભાઈ ખાબડ -   પંચાયત અને કૃષિ

3- મુકેશ પટેલ -           વન પર્ચાવરણ, ક્લાયમેટ ચેંજ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા

4-પ્રફુલ પાનસેરીયા-     સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

5- ભીખુસિંહ પરમાર -  અન્ન અને નાગરિક પુરવઠો, સામાજીક ન્યાય અને અધિકારિતા

6- કુંવરજી હળપતિ-     આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર


કોણ બન્યું મુખ્ય દંડક અને નાયબ દંડક?


વિધાનસભામાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની નિમણૂક મુખ્ય દંડક, નાયબ દંડક તરીકે ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી ઉપરાંત અમરેલીના કૌશીક વેકરીયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની પણ નાયબ દંડક તરીતે નિમણૂક થશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી