Covid-19: કોરોના સંક્રમણ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે લોકોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2022-12-23 14:22:40

ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, સિંગાપોર, અમેરિકા અને બ્રાઝિલમાં કોરોના કેસ વધી રહ્યા છે જેના કારણે ભારત સરકાર પણ ચિંતિત છે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને કોરોના સંક્રમણથી સતર્ક રહેવાની અપીલ કરી હતી. કોરોના સંક્રમણ મુદ્દે મનસુખ માંડવિયા આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને તકેદારી રાખીને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.


CM ભૂપેન્દ્ર પટેલે શું અપીલ કરી?


અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કોરોના મુદ્દે લોકોને કહ્યું હતું કે, અહીં તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા તે સારી બાબત છે. તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું પડશે. હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. એવામાં આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો સાવચેતી રાખીશું તો સારું રહેશે, મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. મેળાવડા હોય ત્યાં માસ્ક પહેરીને જવું જોઈએ. 


આરોગ્ય મંત્રીએ યોજી હતી બેઠક


કોરોના સંક્રમણને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં કોરનાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર થઈ નથી તેથી કડક નિયમો લાગુ કરવાની હાલ કોઈ વાત નથી. હાલ લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે વર્તન કરે તે યોગ્ય છે. સરકાર કેન્દ્રની ગાઈડલાઈન્સથી આગળ વધશે.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.