CM અને CR દિલ્હી જવા રવાના, અચાનક મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:56:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ તેની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની છે. હવે આ પરિસ્થિતીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે. આ ત્રીપુટીની અચાનક જ દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.


CM અને CRને દિલ્હીનું તેડું આવતા રાજકારણ ગરમાયું


 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાત ભાજપના ત્રણેય અગ્રણી નેતાઓના દિલ્હી પ્રવાસને લઈ ભાજપમાં પણ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હીમાં કોની સાથે બેઠક કરશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી પણ મુદ્દો ગંભીર જણાય રહ્યો છે.  ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે અને સંભવત: તેમાં હવે ભાજપના વ્યુહોને આખરી સ્વરૂપ અપાશે. આ ઉપરાંત તા.19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને તેમાં રાજકોટ, જુનાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે તે સમયે પણ કોઈ નવા કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે છે. એક તરફ સૌની નજર રાજયમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતભણી છે તે સમયે ગુજરાત ભાજપના બે ટોચના નેતાઓને દિલ્હીનું તેડુ સૂચક છે. 






ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.