CM અને CR દિલ્હી જવા રવાના, અચાનક મુલાકાતથી રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:56:15

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ તેની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની છે. હવે આ પરિસ્થિતીમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જવા રવાના થયા છે. આ ત્રીપુટીની અચાનક જ દિલ્હી મુલાકાતથી રાજકીય માહોલ ગરમાયો છે.


CM અને CRને દિલ્હીનું તેડું આવતા રાજકારણ ગરમાયું


 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર પણ દિલ્હી જઈ રહ્યા છે. ગુજરાત ભાજપના ત્રણેય અગ્રણી નેતાઓના દિલ્હી પ્રવાસને લઈ ભાજપમાં પણ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકર દિલ્હીમાં કોની સાથે બેઠક કરશે તે અંગે કોઈ માહિતી મળી શકી નથી પણ મુદ્દો ગંભીર જણાય રહ્યો છે.  ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે અને સંભવત: તેમાં હવે ભાજપના વ્યુહોને આખરી સ્વરૂપ અપાશે. આ ઉપરાંત તા.19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે અને તેમાં રાજકોટ, જુનાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપનાર છે તે સમયે પણ કોઈ નવા કાર્યક્રમની પણ જાહેરાત થઈ શકે છે. એક તરફ સૌની નજર રાજયમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતભણી છે તે સમયે ગુજરાત ભાજપના બે ટોચના નેતાઓને દિલ્હીનું તેડુ સૂચક છે. 






થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .