CMના કાફલામાં માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર, બુલેટપ્રૂફ ગાડીઓ પાછળ ખર્યાયા રૂ. 25 કરોડ


  • Published By :
  • Published Date : 2023-02-21 16:52:18

રાજ્યના મુખ્યમંત્રીના અંગત વાહનોના કાફલામાં હવે નવીનક્કોર ગાડીઓનો ઉમેરો થયો છે. CM ભૂપેન્દ્ર પટેલની સરકારે તેમના અંગત પ્રવાસ માટે 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદી છે. ભૂપેન્દ્ર પટેલે મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓને બદલીને હવે ફોર્ચ્યુનર ગાડીઓ ખરીદવા પાછળ લગભગ 25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

 

બુલેટપ્રૂફ, GPS ટેકનોલોજીથી સુસજ્જ 


CM ભૂપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં સાથે એક જ રંગની ફોર્ચ્યુનર ગાડીમાં સવાર થઇને સચિવાલય આવ્યા હતા. આ ગાડીના ડેશબોર્ડ પર CM ભૂપેન્દ્ર પટેલના આસ્થાના કેન્દ્ર એવા સિમંધર સ્વામીની સફેદ પ્રતિમા પણ મૂકવામાં આવી છે. ગાડીઓના કાફલામાં સામાન્ય રીતે છ ગાડી રહે છે, પરંતુ ઇમર્જન્સીના સમયમાં ઉપયોગમાં લેવી પડે એમ હોય તો એક સ્ટેન્ડબાય કાફલા તરીકે અન્ય છ ગાડીને પણ રાખવામાં આવી છે. આ તમામ ગાડીઓ બુલેટપ્રૂફ, જીપીએસ અને અન્ય સુરક્ષા સહિતની ટેકનોલોજીથી સુસજ્જ છે. 


પૂર્વ CM મોદીએ ખરીદી હતી સ્વદેશી સ્કોર્પિયો 


નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે વખતે તેમણે મુખ્યમંત્રીના કાફલા માટે ઉપયોગમાં લેવાતી  જુની કોન્ટેસા કારોને તિંલાંજલિ આપી હતી. પૂર્વ સીએમ મોદીએ સુરક્ષાના કારણોથી મહેન્દ્રા કંપનીની મજબુત સ્કોર્પિયો પર પસંદગી ઉતારી હતી. ત્યાર બાદના તમામ મુખ્યમંત્રીઓ જેવા કે આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી અને બાદમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.