રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:24:00

જાહેર પરિવહનને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થા માટે 141 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગર-દૂધરેજ વચ્ચે બસ સેવા શરૂ કરવાની પરવાનગી આપી છે. 

કરોડો રૂપિયાની સરકારે કરી ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે 50 ઈલેક્ટ્રીક બસના સંચાલન માટે 91 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 7 વર્ષ માટે 32 સીએનજી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ સંચાલન માટે  20 કરોડ 44 લાખની ફાળવણી કરવામાં આવી છે. અને ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

   

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી 

સીએનજી અને ઈલેક્ટ્રિક બસ આવવાને કારણે વાયુ પ્રદર્શનમાં પણ ઘટાડો થશે. વધતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત રોડ અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે આ બધી મુશ્કેલીનો અંત આવે અને શહેરી જનસંખ્યાની મુસાફરી સરળ બની રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત 500 ઈલેક્ટ્રિક બસ અને 689 સીએનજી બસને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.    






થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .