રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:24:00

જાહેર પરિવહનને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થા માટે 141 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગર-દૂધરેજ વચ્ચે બસ સેવા શરૂ કરવાની પરવાનગી આપી છે. 

કરોડો રૂપિયાની સરકારે કરી ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે 50 ઈલેક્ટ્રીક બસના સંચાલન માટે 91 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 7 વર્ષ માટે 32 સીએનજી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ સંચાલન માટે  20 કરોડ 44 લાખની ફાળવણી કરવામાં આવી છે. અને ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

   

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી 

સીએનજી અને ઈલેક્ટ્રિક બસ આવવાને કારણે વાયુ પ્રદર્શનમાં પણ ઘટાડો થશે. વધતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત રોડ અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે આ બધી મુશ્કેલીનો અંત આવે અને શહેરી જનસંખ્યાની મુસાફરી સરળ બની રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત 500 ઈલેક્ટ્રિક બસ અને 689 સીએનજી બસને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.    






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.