રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:24:00

જાહેર પરિવહનને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થા માટે 141 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગર-દૂધરેજ વચ્ચે બસ સેવા શરૂ કરવાની પરવાનગી આપી છે. 

કરોડો રૂપિયાની સરકારે કરી ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે 50 ઈલેક્ટ્રીક બસના સંચાલન માટે 91 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 7 વર્ષ માટે 32 સીએનજી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ સંચાલન માટે  20 કરોડ 44 લાખની ફાળવણી કરવામાં આવી છે. અને ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

   

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી 

સીએનજી અને ઈલેક્ટ્રિક બસ આવવાને કારણે વાયુ પ્રદર્શનમાં પણ ઘટાડો થશે. વધતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત રોડ અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે આ બધી મુશ્કેલીનો અંત આવે અને શહેરી જનસંખ્યાની મુસાફરી સરળ બની રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત 500 ઈલેક્ટ્રિક બસ અને 689 સીએનજી બસને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.    






ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .