રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજમાં શરૂ થશે CNG- ઇલેક્ટ્રિક બસ સેવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:24:00

જાહેર પરિવહનને લઈ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે જે અંતર્ગત રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે શહેરી પરિવહન વ્યવસ્થા માટે 141 કરોડની ફાળવણી કરી છે. રાજ્ય સરકારે રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગર-દૂધરેજ વચ્ચે બસ સેવા શરૂ કરવાની પરવાનગી આપી છે. 

કરોડો રૂપિયાની સરકારે કરી ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકારે 50 ઈલેક્ટ્રીક બસના સંચાલન માટે 91 કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત 7 વર્ષ માટે 32 સીએનજી બસના કોન્ટ્રાક્ટ બેઈઝ સંચાલન માટે  20 કરોડ 44 લાખની ફાળવણી કરવામાં આવી છે. અને ભૂજમાં 22 સિટી બસ સંચાલન માટે 9.03 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

   

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી 

સીએનજી અને ઈલેક્ટ્રિક બસ આવવાને કારણે વાયુ પ્રદર્શનમાં પણ ઘટાડો થશે. વધતા વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉપરાંત રોડ અકસ્માત થવાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે આ બધી મુશ્કેલીનો અંત આવે અને શહેરી જનસંખ્યાની મુસાફરી સરળ બની રહે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરી દીધી છે. આ યોજના અંતર્ગત 500 ઈલેક્ટ્રિક બસ અને 689 સીએનજી બસને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.    






પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ કોંગ્રેસના નેતાએ એક ટ્વિટ કરી હતી જેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરતમાં જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં બનતા બનતા રહી ગઈ તેવો ઉલ્લેખ કોંગ્રેસનેતાએ ટ્વિટ કરી હતી.

જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.