આખા ગુજરાતમાં ફરી શકશે CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા, સરકારે રિક્ષા ચાલકોને આપી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 11:58:00

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે રિક્ષા ચાલકોને ભેટ આપી છે. જે અંતર્ગત રિક્ષા ચાલકો આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે છે. પહેલા રિક્ષા ચાલકોને પોતાના જિલ્લામાં તેમજ પોતાના શહેરમાં જ રિક્ષા ફેરવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે હવેથી ગુજરાતમાં CNG, પેટ્રોલ તેમજ ઈ-રિક્ષા ગમે સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. પરંતુ આ પરિપત્રનો અમલ ડિઝલથી ચાલતી રિક્ષાઓ પર નહીં થાય.  

સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં  જોવા મળશે - GSTV

એક્સપ્રેસ વે સિવાય તમામ રસ્તાઓ ખુલ્યા રિક્ષા ચાલકો માટે 

ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. બીજા રાજ્યોના મોડલ બતાવી ગુજરાત મોડલ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રિક્ષા ચાલકોને ભેટ આપી છે. અત્યાર સુધી રિક્ષા ચાલકોને જે-તે જિલ્લા પૂરતી જ પરમિટ આપવામાં આવી હતી. જો બીજા જિલ્લામાં જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોટર વેહિકલ એક્ટની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રિક્ષા ચાલકો એક્સપ્રેસ સિવાયના તમામ માર્ગો પર રિક્ષા ચલાવી શક્શે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.