આખા ગુજરાતમાં ફરી શકશે CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા, સરકારે રિક્ષા ચાલકોને આપી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 11:58:00

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે રિક્ષા ચાલકોને ભેટ આપી છે. જે અંતર્ગત રિક્ષા ચાલકો આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે છે. પહેલા રિક્ષા ચાલકોને પોતાના જિલ્લામાં તેમજ પોતાના શહેરમાં જ રિક્ષા ફેરવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે હવેથી ગુજરાતમાં CNG, પેટ્રોલ તેમજ ઈ-રિક્ષા ગમે સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. પરંતુ આ પરિપત્રનો અમલ ડિઝલથી ચાલતી રિક્ષાઓ પર નહીં થાય.  

સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં  જોવા મળશે - GSTV

એક્સપ્રેસ વે સિવાય તમામ રસ્તાઓ ખુલ્યા રિક્ષા ચાલકો માટે 

ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. બીજા રાજ્યોના મોડલ બતાવી ગુજરાત મોડલ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રિક્ષા ચાલકોને ભેટ આપી છે. અત્યાર સુધી રિક્ષા ચાલકોને જે-તે જિલ્લા પૂરતી જ પરમિટ આપવામાં આવી હતી. જો બીજા જિલ્લામાં જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોટર વેહિકલ એક્ટની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રિક્ષા ચાલકો એક્સપ્રેસ સિવાયના તમામ માર્ગો પર રિક્ષા ચલાવી શક્શે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.