આખા ગુજરાતમાં ફરી શકશે CNG-પેટ્રોલ અને ઈ-રીક્ષા, સરકારે રિક્ષા ચાલકોને આપી ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 11:58:00

દિવાળીના તહેવારને લઈ રાજ્ય સરકારે રિક્ષા ચાલકોને ભેટ આપી છે. જે અંતર્ગત રિક્ષા ચાલકો આખા ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકે છે. પહેલા રિક્ષા ચાલકોને પોતાના જિલ્લામાં તેમજ પોતાના શહેરમાં જ રિક્ષા ફેરવવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે સરકારે પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે હવેથી ગુજરાતમાં CNG, પેટ્રોલ તેમજ ઈ-રિક્ષા ગમે સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. પરંતુ આ પરિપત્રનો અમલ ડિઝલથી ચાલતી રિક્ષાઓ પર નહીં થાય.  

સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં  જોવા મળશે - GSTV

એક્સપ્રેસ વે સિવાય તમામ રસ્તાઓ ખુલ્યા રિક્ષા ચાલકો માટે 

ચૂંટણી નજીક આવી રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. બીજા રાજ્યોના મોડલ બતાવી ગુજરાત મોડલ પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડી રિક્ષા ચાલકોને ભેટ આપી છે. અત્યાર સુધી રિક્ષા ચાલકોને જે-તે જિલ્લા પૂરતી જ પરમિટ આપવામાં આવી હતી. જો બીજા જિલ્લામાં જાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ મોટર વેહિકલ એક્ટની કલમ 39માં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી રિક્ષા ચાલકો એક્સપ્રેસ સિવાયના તમામ માર્ગો પર રિક્ષા ચલાવી શક્શે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.