મમતા સરકારના વધુ એક મંત્રી CBIના સકંજામાં, મલય ઘટકના નિવાસસ્થાન સહિત 4 સ્થળો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:15:33

કેન્દ્રની મોદી સરકાર મમતા બેનર્જીના એક પછી એક મંત્રીને નિશાન બનાવી રહી છે. પાર્થ ચેટર્જી બાદ વધુ એક મંત્રી સીબીઆઈના રડાર પર આવી ગયા છે. મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો.  કોલકાત્તા અને આસનસોલમાં સ્થિત મલય ઘટકના ચાર સ્થળો પર સીબીઆઈ પહોંચી ગઈ હતી. 



કોલસા કૌંભાડમાં સમન્સ


કોલસા કૌંભાડને લઈ ઈડીની ટીમે મલય ઘટકને 2 સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યું હતું.  ઈડી કોલસા કૌંભાડ અંગે 14 સપ્ટેમ્બરે મલય ઘટક સાથે પૂછપરછ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે અભિષેક બેનર્જીએ સતત સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.