મમતા સરકારના વધુ એક મંત્રી CBIના સકંજામાં, મલય ઘટકના નિવાસસ્થાન સહિત 4 સ્થળો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:15:33

કેન્દ્રની મોદી સરકાર મમતા બેનર્જીના એક પછી એક મંત્રીને નિશાન બનાવી રહી છે. પાર્થ ચેટર્જી બાદ વધુ એક મંત્રી સીબીઆઈના રડાર પર આવી ગયા છે. મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો.  કોલકાત્તા અને આસનસોલમાં સ્થિત મલય ઘટકના ચાર સ્થળો પર સીબીઆઈ પહોંચી ગઈ હતી. 



કોલસા કૌંભાડમાં સમન્સ


કોલસા કૌંભાડને લઈ ઈડીની ટીમે મલય ઘટકને 2 સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યું હતું.  ઈડી કોલસા કૌંભાડ અંગે 14 સપ્ટેમ્બરે મલય ઘટક સાથે પૂછપરછ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે અભિષેક બેનર્જીએ સતત સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.