મમતા સરકારના વધુ એક મંત્રી CBIના સકંજામાં, મલય ઘટકના નિવાસસ્થાન સહિત 4 સ્થળો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:15:33

કેન્દ્રની મોદી સરકાર મમતા બેનર્જીના એક પછી એક મંત્રીને નિશાન બનાવી રહી છે. પાર્થ ચેટર્જી બાદ વધુ એક મંત્રી સીબીઆઈના રડાર પર આવી ગયા છે. મમતા સરકારના કાયદા મંત્રી મલય ઘટકના નિવાસસ્થાન પર સીબીઆઈની ટીમે દરોડો પાડ્યો હતો.  કોલકાત્તા અને આસનસોલમાં સ્થિત મલય ઘટકના ચાર સ્થળો પર સીબીઆઈ પહોંચી ગઈ હતી. 



કોલસા કૌંભાડમાં સમન્સ


કોલસા કૌંભાડને લઈ ઈડીની ટીમે મલય ઘટકને 2 સપ્ટેમ્બરે સમન્સ મોકલ્યું હતું.  ઈડી કોલસા કૌંભાડ અંગે 14 સપ્ટેમ્બરે મલય ઘટક સાથે પૂછપરછ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડીની ટીમે અભિષેક બેનર્જીએ સતત સાત કલાક સુધી પૂછપરછ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.