ઉત્તરભારતમાં જોવા મળ્યું ઠંડીનું જોર, આગામી અઠવાડિયામાં પણ જોવા મળશે ચમકારો


  • Published By :
  • Published Date : 2023-01-07 11:13:07

દેશના અનેક રાજ્યોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ ઠંડીથી રાહત નથી મળવાની તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


થોડા દિવસો બાદ વધશે તાપમાન 

વધતી ઠંડીને કારણે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડી વધવાને કારણે વિવિધ રાજ્યોમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મૌસમ વિભાગની આગાહી પ્રમાણે આવનાર થોડા દિવસો દરમિયાન વધારે ઠંડીનો અનુભવ થશે. 


ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિકએન્ડ પર પણ ઠંડીથી રાહત નહીં મળે. પરંતુ આવનાર થોડા દિવસો પછી ઠંડી ઓછી થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પહાડી વિસ્તારો પર હિમવર્ષા થવાને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.