ઉત્તરભારતમાં જોવા મળ્યું ઠંડીનું જોર, આગામી અઠવાડિયામાં પણ જોવા મળશે ચમકારો


  • Published By :
  • Published Date : 2023-01-07 11:13:07

દેશના અનેક રાજ્યોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ ઠંડીથી રાહત નથી મળવાની તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


થોડા દિવસો બાદ વધશે તાપમાન 

વધતી ઠંડીને કારણે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડી વધવાને કારણે વિવિધ રાજ્યોમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મૌસમ વિભાગની આગાહી પ્રમાણે આવનાર થોડા દિવસો દરમિયાન વધારે ઠંડીનો અનુભવ થશે. 


ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિકએન્ડ પર પણ ઠંડીથી રાહત નહીં મળે. પરંતુ આવનાર થોડા દિવસો પછી ઠંડી ઓછી થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પહાડી વિસ્તારો પર હિમવર્ષા થવાને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.