ઉત્તરભારતમાં જોવા મળ્યું ઠંડીનું જોર, આગામી અઠવાડિયામાં પણ જોવા મળશે ચમકારો


  • Published By :
  • Published Date : 2023-01-07 11:13:07

દેશના અનેક રાજ્યોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ ઠંડીથી રાહત નથી મળવાની તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


થોડા દિવસો બાદ વધશે તાપમાન 

વધતી ઠંડીને કારણે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડી વધવાને કારણે વિવિધ રાજ્યોમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મૌસમ વિભાગની આગાહી પ્રમાણે આવનાર થોડા દિવસો દરમિયાન વધારે ઠંડીનો અનુભવ થશે. 


ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિકએન્ડ પર પણ ઠંડીથી રાહત નહીં મળે. પરંતુ આવનાર થોડા દિવસો પછી ઠંડી ઓછી થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પહાડી વિસ્તારો પર હિમવર્ષા થવાને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.