ઉત્તરભારતમાં જોવા મળ્યું ઠંડીનું જોર, આગામી અઠવાડિયામાં પણ જોવા મળશે ચમકારો


  • Published By :
  • Published Date : 2023-01-07 11:13:07

દેશના અનેક રાજ્યોમાં ઠંડી પોતાનો કહેર વર્તાવી રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ ઠંડીથી રાહત નથી મળવાની તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તરભારતના પહાડી વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધશે. 


થોડા દિવસો બાદ વધશે તાપમાન 

વધતી ઠંડીને કારણે દેશના અનેક રાજ્યોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ દેખાઈ રહ્યું છે. શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં ઠંડી વધવાને કારણે વિવિધ રાજ્યોમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મૌસમ વિભાગની આગાહી પ્રમાણે આવનાર થોડા દિવસો દરમિયાન વધારે ઠંડીનો અનુભવ થશે. 


ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિકએન્ડ પર પણ ઠંડીથી રાહત નહીં મળે. પરંતુ આવનાર થોડા દિવસો પછી ઠંડી ઓછી થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. પહાડી વિસ્તારો પર હિમવર્ષા થવાને કારણે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.