દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ ઘટતી એર ક્વોલિટીએ વધારી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-10 11:27:00

દિલ્હીમાં એક તરફ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠંડીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. શીતલહેરને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ તો છે પરંતુ ત્યાંની હવા જહેરેલી બની ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર રાજધાની દિલ્હીની હવા જહેરીલી બની રહી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે.

 

હવામાનની ગુણવત્તા ઘટી રહી છે  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ચિંતા વધી ગઈ છે. હવા જહેરેલી બની રહી છે. પહેલેથી દિલ્હીમાં વાયુ પ્રદર્શન એક ખતરો બની રહ્યો હતો તો ફરી એક વખત વધતી ઠંડીને કારણે ખતરો વધારે ગંભીર બની રહ્યો છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે મુશ્કેલી 

સોમવારે દિલ્હીનું એક્યુઆઈ 434 નોંધાઈ હતી રવિવારે 371 નોંધાઈ હતી. આને કારણે હવાની ગુણવત્તા દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. હવાની ક્વોલિટીની સીધી અસર લોકોના આરોગ્ય પર પડતી હોય છે. એક તરફ લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે તો બીજી તરફ હવાની ગુણવત્તાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.