દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ ઘટતી એર ક્વોલિટીએ વધારી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-10 11:27:00

દિલ્હીમાં એક તરફ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠંડીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. શીતલહેરને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ તો છે પરંતુ ત્યાંની હવા જહેરેલી બની ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર રાજધાની દિલ્હીની હવા જહેરીલી બની રહી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે.

 

હવામાનની ગુણવત્તા ઘટી રહી છે  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ચિંતા વધી ગઈ છે. હવા જહેરેલી બની રહી છે. પહેલેથી દિલ્હીમાં વાયુ પ્રદર્શન એક ખતરો બની રહ્યો હતો તો ફરી એક વખત વધતી ઠંડીને કારણે ખતરો વધારે ગંભીર બની રહ્યો છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે મુશ્કેલી 

સોમવારે દિલ્હીનું એક્યુઆઈ 434 નોંધાઈ હતી રવિવારે 371 નોંધાઈ હતી. આને કારણે હવાની ગુણવત્તા દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. હવાની ક્વોલિટીની સીધી અસર લોકોના આરોગ્ય પર પડતી હોય છે. એક તરફ લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે તો બીજી તરફ હવાની ગુણવત્તાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.