દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ ઘટતી એર ક્વોલિટીએ વધારી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-10 11:27:00

દિલ્હીમાં એક તરફ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠંડીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. શીતલહેરને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ તો છે પરંતુ ત્યાંની હવા જહેરેલી બની ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર રાજધાની દિલ્હીની હવા જહેરીલી બની રહી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે.

 

હવામાનની ગુણવત્તા ઘટી રહી છે  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ચિંતા વધી ગઈ છે. હવા જહેરેલી બની રહી છે. પહેલેથી દિલ્હીમાં વાયુ પ્રદર્શન એક ખતરો બની રહ્યો હતો તો ફરી એક વખત વધતી ઠંડીને કારણે ખતરો વધારે ગંભીર બની રહ્યો છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે મુશ્કેલી 

સોમવારે દિલ્હીનું એક્યુઆઈ 434 નોંધાઈ હતી રવિવારે 371 નોંધાઈ હતી. આને કારણે હવાની ગુણવત્તા દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. હવાની ક્વોલિટીની સીધી અસર લોકોના આરોગ્ય પર પડતી હોય છે. એક તરફ લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે તો બીજી તરફ હવાની ગુણવત્તાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.