દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ ઘટતી એર ક્વોલિટીએ વધારી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-10 11:27:00

દિલ્હીમાં એક તરફ ઠંડીને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઠંડીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. શીતલહેરને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ તો છે પરંતુ ત્યાંની હવા જહેરેલી બની ગઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ 418 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અનુસાર રાજધાની દિલ્હીની હવા જહેરીલી બની રહી છે જેને કારણે ચિંતા વધી ગઈ છે.

 

હવામાનની ગુણવત્તા ઘટી રહી છે  

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઠંડીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે ચિંતા વધી ગઈ છે. હવા જહેરેલી બની રહી છે. પહેલેથી દિલ્હીમાં વાયુ પ્રદર્શન એક ખતરો બની રહ્યો હતો તો ફરી એક વખત વધતી ઠંડીને કારણે ખતરો વધારે ગંભીર બની રહ્યો છે. 


આવનાર દિવસોમાં વધી શકે છે મુશ્કેલી 

સોમવારે દિલ્હીનું એક્યુઆઈ 434 નોંધાઈ હતી રવિવારે 371 નોંધાઈ હતી. આને કારણે હવાની ગુણવત્તા દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. હવાની ક્વોલિટીની સીધી અસર લોકોના આરોગ્ય પર પડતી હોય છે. એક તરફ લોકો ઠંડીથી ધ્રૂજી રહ્યા છે તો બીજી તરફ હવાની ગુણવત્તાને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.