ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ 14.5 ડિગ્રી સાથે શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:57:56


હિમાચલ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્ય  દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને 17 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો છે. જયારે અમદાવાદમાં 14.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયુું હતું. ઠંડા પવનોની અસરથી મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 3.0 ડિગ્રી ગગડીને 14.5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. ગત વર્ષે 28 નવેમ્બરે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. જો કે, બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 3.0 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા દરમિયાન શહેરમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે.


કયા કેટલી ઠંડી ?


અમદાવાદ 14.5

ગાંધીનગર 13.2

કેશોદ 14

વડોદરા 14.4

અમરેલી 14.4

વિદ્યાનગર 15

મહુવા 15.5

ડીસા 16




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.