ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ 14.5 ડિગ્રી સાથે શહેરમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ !!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-20 16:57:56


હિમાચલ કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને કારણે રાજ્ય  દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને 17 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો છે. જયારે અમદાવાદમાં 14.5 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.


ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયુું હતું. ઠંડા પવનોની અસરથી મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન ગુરુવાર કરતાં 3.0 ડિગ્રી ગગડીને 14.5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. ગત વર્ષે 28 નવેમ્બરે અમદાવાદનું લઘુતમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. જો કે, બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 3.0 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી અઠવાડિયા દરમિયાન શહેરમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે.


કયા કેટલી ઠંડી ?


અમદાવાદ 14.5

ગાંધીનગર 13.2

કેશોદ 14

વડોદરા 14.4

અમરેલી 14.4

વિદ્યાનગર 15

મહુવા 15.5

ડીસા 16




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.