ઉત્તરભારતમાં વધશે ઠંડીનું જોર, ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-10 11:26:09

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેલું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. કડાકાની ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 

jagran


કમોસમી વરસાદની કરાઈ છે આગાહી 

વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે. જમ્મુ, ગંગાનગર, ચંડીગઠ, અંબાલા, પટિયાલામાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અનેક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ વધતી ઠંડીને કારણે શાળામાં વેકેશન જાહેર કરી દીધું છે. ઠંડીથી એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બે ઋતુનો અનુભવ થઈ શકે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.