ઉત્તરભારતમાં વધશે ઠંડીનું જોર, ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-10 11:26:09

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેલું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. કડાકાની ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 

jagran


કમોસમી વરસાદની કરાઈ છે આગાહી 

વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે. જમ્મુ, ગંગાનગર, ચંડીગઠ, અંબાલા, પટિયાલામાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અનેક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ વધતી ઠંડીને કારણે શાળામાં વેકેશન જાહેર કરી દીધું છે. ઠંડીથી એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બે ઋતુનો અનુભવ થઈ શકે છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.