ઉત્તરભારતમાં વધશે ઠંડીનું જોર, ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-10 11:26:09

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેલું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. કડાકાની ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 

jagran


કમોસમી વરસાદની કરાઈ છે આગાહી 

વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે. જમ્મુ, ગંગાનગર, ચંડીગઠ, અંબાલા, પટિયાલામાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અનેક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ વધતી ઠંડીને કારણે શાળામાં વેકેશન જાહેર કરી દીધું છે. ઠંડીથી એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બે ઋતુનો અનુભવ થઈ શકે છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.