ઉત્તરભારતમાં વધશે ઠંડીનું જોર, ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-10 11:26:09

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહેલું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે. કડાકાની ઠંડી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. 

jagran


કમોસમી વરસાદની કરાઈ છે આગાહી 

વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાન શૂન્ય પર પહોંચ્યું છે. જમ્મુ, ગંગાનગર, ચંડીગઠ, અંબાલા, પટિયાલામાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે અનેક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અનેક રાજ્યોએ વધતી ઠંડીને કારણે શાળામાં વેકેશન જાહેર કરી દીધું છે. ઠંડીથી એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. બે ઋતુનો અનુભવ થઈ શકે છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.