ગાત્રો થીજવતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી


  • Published By :
  • Published Date : 2022-12-27 21:39:55

રાજ્યમાં કાતિલ ઠંડીથી ત્રાસી ગયા છો તો તમારા માટે માઠા સમાચાર છે. ગુજરાત હવામાન વિભાગે કડકડતી ઠંડીને લઈ આગાહી કરી છે કે નવા વર્ષની શરુઆતથી જ હાંડ થીજવતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, થર્ટી ફર્સ્ટથી રાજ્યમાં હાંડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 10 ડિગ્રીની નીચે જઈ શકે છે. આજે અમદાવાદમાં સૂસવાટા બોલાવતો પવન ફુંકાયો હતો અને પારો ગગડ્યો હતો.

 8.1 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર


રાજ્યમાં આજે 8.1 ડિગ્રી સાથે  કચ્છનું નલિયા સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે. ભુજમાં 10 અને કંડલામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાત હવામાન વિભાગે આગામી બે દિવસની આગાહી કરતા જણાવ્યું છે કે, કચ્છના કેટલાક વિસ્તારમાં આગામી દિવસમાં શીત લહેર છવાઈ શકે છે. કચ્છના નલીયા વિસ્તારમાં હજુ પણ પારો ગગડે તેવી શક્યતા છે. 


ગરમ કપડાનું વેચાણ વધ્યું


રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે. આ સાથે જ ઠંડીથી રક્ષણ આપતા ઉનના ગરમ વસ્ત્રોનું વેચાણ વધી ગયું છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમ કપડાનું વેચાણ કરતા વેપારીઓ માટે કાતિલ ઠંડી આશિર્વાદરૂપ બની છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.