LPG સિલિન્ડરની ભાવમાં ધરખમ ઘટાડો, બાટલો 115 રૂપિયા સસ્તો થયો


  • Published By :
  • Published Date : 2022-11-01 18:38:34



દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થતા લોકોને રાહત થઈ છે. એલપીજી ગેસ સિલિન્ડર આજથી 115 રૂપિયા સસ્તું થયું છે. 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


દેશના 4 મોટા શહેરોમાં LPG સિલિન્ડરના નવા ભાવ


IOCL અનુસાર, 1 નવેમ્બરથી દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 115.5 રૂપિયા, કોલકાતામાં 113 રૂપિયા, મુંબઈમાં 115.5 રૂપિયા, ચેન્નાઈમાં 116.5 રૂપિયા ઓછી થશે. આ પહેલા 1 ઓક્ટોબરે આ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.