Palanpur બ્રિજ દુર્ઘટનાને લઈ કંપનીના ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા, તો Geniben Thakor અને Chaitar vasavaએ સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-10-24 16:29:14

પાલનપુરમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી.આરટીઓ પાસે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને બે લોકોના મોત થઈ ગયા. આવી દુર્ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવી દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી. એવી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેનાથી ઉદાહરણ બેસે કે જો ખોટું કરશો તો નહીં છોડવામાં આવે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ કન્ટ્રક્શન કંપની જીપીસીના ડિરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. સામાન્ય માણસની જેમ તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. 

કંપનીના ડિરેક્ટરે દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

આ અંગે મળતી માહિતી અનુસાર જીપીસીના ડિરેક્ટર ગણેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ અંગે દુ:ખ વ્યક્ત કરું છું. બ્રિજના પિલ્લરના છ ગડર ચડાવેલા હતા. ક્રોસ ગડરની કામગીરી દરમિયાન બનાવ બન્યો છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકારની તપાસમાં અમે સહયોગ આપીશું. અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા અને તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. રિક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, રાજ્યની 8  નગરપાલિકાઓને બખ્ખા!

મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી આ ઘટનાને 

ઘટના બાદ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બ્રિજ તૂટવાના કારણ અંગે તપાસ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. 



કોન્ટ્રાક્ટર પર હોય છે સરકારની રહેમ નજર! 

આવી ઘટનાઓ પહેલી વખત નથી બની પરંતુ અનેક વખત બની છે. ઘટના સર્જાયા બાદ દરેક વખત તપાસની કમિટી બને છે, સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ કાર્યવાહીના રૂપે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા. મહત્વનું છે કે આ કંપનીએ છે જેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એવી કડકમાં કડક જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે જેને કારણે લોકોમાં ડર બેસે કે જો ખોટું કરીશું તો ફસાયા સમજો. જો કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તો સરકારની રહેમ નજર કોન્ટ્રાક્ટર પર હોય તેવી વાતો સ્વભાવિક છે.

   


ગેનીબેન ઠાકોરે સરકારને આ મુદ્દે ઘેરી

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે આ વાતને લઈ કહ્યું કે 156માંથી છે કોઈ જે આ વેદના સાંભળે? મોરબી બ્રિજ, પાલનપુર બ્રિજ આવી ઘટના બને છે પણ જ્યાં સુધી આ ભાજપ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે ત્યાં સુધી આવી ઘટના અટકશે નહીં. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંગ્રેજો પણ લૂંટતા એમના બનાવેલ પુલ, રોડ, રસ્તાઓ હજુ નથી તૂટ્યા અને આ મહા ભ્રષ્ટ ભાજપના શાસનમાં બનાવેલ પુલ, બ્રિજ, રોડ, રસ્તાઓ બધું જ તૂટી જાય છે સિવાય એમના બંગલા! આ ગુજરાત મેં બનાવ્યું કહેનાર બીજેપી સરકાર શરમ કરો!     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી