Palanpur બ્રિજ દુર્ઘટનાને લઈ કંપનીના ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા, તો Geniben Thakor અને Chaitar vasavaએ સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-10-24 16:29:14

પાલનપુરમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી.આરટીઓ પાસે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને બે લોકોના મોત થઈ ગયા. આવી દુર્ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવી દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી. એવી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેનાથી ઉદાહરણ બેસે કે જો ખોટું કરશો તો નહીં છોડવામાં આવે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ કન્ટ્રક્શન કંપની જીપીસીના ડિરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. સામાન્ય માણસની જેમ તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. 

કંપનીના ડિરેક્ટરે દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

આ અંગે મળતી માહિતી અનુસાર જીપીસીના ડિરેક્ટર ગણેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ અંગે દુ:ખ વ્યક્ત કરું છું. બ્રિજના પિલ્લરના છ ગડર ચડાવેલા હતા. ક્રોસ ગડરની કામગીરી દરમિયાન બનાવ બન્યો છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકારની તપાસમાં અમે સહયોગ આપીશું. અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા અને તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. રિક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, રાજ્યની 8  નગરપાલિકાઓને બખ્ખા!

મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી આ ઘટનાને 

ઘટના બાદ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બ્રિજ તૂટવાના કારણ અંગે તપાસ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. 



કોન્ટ્રાક્ટર પર હોય છે સરકારની રહેમ નજર! 

આવી ઘટનાઓ પહેલી વખત નથી બની પરંતુ અનેક વખત બની છે. ઘટના સર્જાયા બાદ દરેક વખત તપાસની કમિટી બને છે, સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ કાર્યવાહીના રૂપે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા. મહત્વનું છે કે આ કંપનીએ છે જેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એવી કડકમાં કડક જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે જેને કારણે લોકોમાં ડર બેસે કે જો ખોટું કરીશું તો ફસાયા સમજો. જો કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તો સરકારની રહેમ નજર કોન્ટ્રાક્ટર પર હોય તેવી વાતો સ્વભાવિક છે.

   


ગેનીબેન ઠાકોરે સરકારને આ મુદ્દે ઘેરી

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે આ વાતને લઈ કહ્યું કે 156માંથી છે કોઈ જે આ વેદના સાંભળે? મોરબી બ્રિજ, પાલનપુર બ્રિજ આવી ઘટના બને છે પણ જ્યાં સુધી આ ભાજપ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે ત્યાં સુધી આવી ઘટના અટકશે નહીં. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંગ્રેજો પણ લૂંટતા એમના બનાવેલ પુલ, રોડ, રસ્તાઓ હજુ નથી તૂટ્યા અને આ મહા ભ્રષ્ટ ભાજપના શાસનમાં બનાવેલ પુલ, બ્રિજ, રોડ, રસ્તાઓ બધું જ તૂટી જાય છે સિવાય એમના બંગલા! આ ગુજરાત મેં બનાવ્યું કહેનાર બીજેપી સરકાર શરમ કરો!     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.