Palanpur બ્રિજ દુર્ઘટનાને લઈ કંપનીના ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા, તો Geniben Thakor અને Chaitar vasavaએ સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-10-24 16:29:14

પાલનપુરમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી.આરટીઓ પાસે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને બે લોકોના મોત થઈ ગયા. આવી દુર્ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવી દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી. એવી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેનાથી ઉદાહરણ બેસે કે જો ખોટું કરશો તો નહીં છોડવામાં આવે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ કન્ટ્રક્શન કંપની જીપીસીના ડિરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. સામાન્ય માણસની જેમ તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. 

કંપનીના ડિરેક્ટરે દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

આ અંગે મળતી માહિતી અનુસાર જીપીસીના ડિરેક્ટર ગણેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ અંગે દુ:ખ વ્યક્ત કરું છું. બ્રિજના પિલ્લરના છ ગડર ચડાવેલા હતા. ક્રોસ ગડરની કામગીરી દરમિયાન બનાવ બન્યો છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકારની તપાસમાં અમે સહયોગ આપીશું. અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા અને તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. રિક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, રાજ્યની 8  નગરપાલિકાઓને બખ્ખા!

મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી આ ઘટનાને 

ઘટના બાદ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બ્રિજ તૂટવાના કારણ અંગે તપાસ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. 



કોન્ટ્રાક્ટર પર હોય છે સરકારની રહેમ નજર! 

આવી ઘટનાઓ પહેલી વખત નથી બની પરંતુ અનેક વખત બની છે. ઘટના સર્જાયા બાદ દરેક વખત તપાસની કમિટી બને છે, સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ કાર્યવાહીના રૂપે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા. મહત્વનું છે કે આ કંપનીએ છે જેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એવી કડકમાં કડક જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે જેને કારણે લોકોમાં ડર બેસે કે જો ખોટું કરીશું તો ફસાયા સમજો. જો કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તો સરકારની રહેમ નજર કોન્ટ્રાક્ટર પર હોય તેવી વાતો સ્વભાવિક છે.

   


ગેનીબેન ઠાકોરે સરકારને આ મુદ્દે ઘેરી

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે આ વાતને લઈ કહ્યું કે 156માંથી છે કોઈ જે આ વેદના સાંભળે? મોરબી બ્રિજ, પાલનપુર બ્રિજ આવી ઘટના બને છે પણ જ્યાં સુધી આ ભાજપ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે ત્યાં સુધી આવી ઘટના અટકશે નહીં. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંગ્રેજો પણ લૂંટતા એમના બનાવેલ પુલ, રોડ, રસ્તાઓ હજુ નથી તૂટ્યા અને આ મહા ભ્રષ્ટ ભાજપના શાસનમાં બનાવેલ પુલ, બ્રિજ, રોડ, રસ્તાઓ બધું જ તૂટી જાય છે સિવાય એમના બંગલા! આ ગુજરાત મેં બનાવ્યું કહેનાર બીજેપી સરકાર શરમ કરો!     



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.