ટ્વિટર પર ભાજપ કરતી ગુજરાત અને દિલ્હી મોડલની તુલના


  • Published By :
  • Published Date : 2022-11-05 16:52:05

ગુજરાતમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન પાર્ટી રાજ્યોના મોડલની વાતો કહી રહી છે. પ્રચાર દરમિયાન ભાજપ ગુજરાત વિકાસ મોડલની વાતો કરે છે તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલની વાતો કરે છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને આમ આદમી પાર્ટી રાજ્યોના મોડલને લઈ એકબીજા પર રાજનીતિ કરી રહી છે. ટ્વિટર પર ભાજપે દિલ્હી મોડલ અને ગુજરાત મોડલની તુલના કરી છે.

ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે - ભાજપ

ટ્વિટર પર ભાજપે અનેક ફોટો ટ્વિટ કર્યા છે જેમાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે તુલના કરવામાં આવી રહી છે. એક ફોટોમાં વાયુ પ્રદૂષણ બતાવવામાં આવ્યું છે જ્યારે બીજા ફોટામાં સ્વચ્છ ગુજરાતની વાતો કરવામાં આવી છે. ભાજપે લખ્યું છે કે AAPના શાસનમાં દિલ્હી ઝેરી હવાથી રૂંધાઈ રહ્યું છે જ્યારે ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે.

સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ

વધતા પ્રદૂષણને લઈ બીજી એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં દિલ્હી મોડલ જ્યાં શ્વાસ લેવી પણ જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે આપણાં ગુજરાત મોડલના અનેક શહેરો સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે.

દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ

શિક્ષણ મુદ્દાને લઈને પણ ભાજપે ટ્વિટ કરી હતી. ગુજરાતના શિક્ષણ મુદ્દે ભાજપે લખ્યું કે ગુજરાતના શિક્ષણ મોડેલે દિલ્હીને ચટાડી ધુળ, દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.