ટ્વિટર પર ભાજપ કરતી ગુજરાત અને દિલ્હી મોડલની તુલના


  • Published By :
  • Published Date : 2022-11-05 16:52:05

ગુજરાતમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન પાર્ટી રાજ્યોના મોડલની વાતો કહી રહી છે. પ્રચાર દરમિયાન ભાજપ ગુજરાત વિકાસ મોડલની વાતો કરે છે તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલની વાતો કરે છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને આમ આદમી પાર્ટી રાજ્યોના મોડલને લઈ એકબીજા પર રાજનીતિ કરી રહી છે. ટ્વિટર પર ભાજપે દિલ્હી મોડલ અને ગુજરાત મોડલની તુલના કરી છે.

ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે - ભાજપ

ટ્વિટર પર ભાજપે અનેક ફોટો ટ્વિટ કર્યા છે જેમાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે તુલના કરવામાં આવી રહી છે. એક ફોટોમાં વાયુ પ્રદૂષણ બતાવવામાં આવ્યું છે જ્યારે બીજા ફોટામાં સ્વચ્છ ગુજરાતની વાતો કરવામાં આવી છે. ભાજપે લખ્યું છે કે AAPના શાસનમાં દિલ્હી ઝેરી હવાથી રૂંધાઈ રહ્યું છે જ્યારે ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે.

સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ

વધતા પ્રદૂષણને લઈ બીજી એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં દિલ્હી મોડલ જ્યાં શ્વાસ લેવી પણ જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે આપણાં ગુજરાત મોડલના અનેક શહેરો સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે.

દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ

શિક્ષણ મુદ્દાને લઈને પણ ભાજપે ટ્વિટ કરી હતી. ગુજરાતના શિક્ષણ મુદ્દે ભાજપે લખ્યું કે ગુજરાતના શિક્ષણ મોડેલે દિલ્હીને ચટાડી ધુળ, દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"