ટ્વિટર પર ભાજપ કરતી ગુજરાત અને દિલ્હી મોડલની તુલના


  • Published By :
  • Published Date : 2022-11-05 16:52:05

ગુજરાતમાં ચાલી રહેલા પ્રચાર દરમિયાન પાર્ટી રાજ્યોના મોડલની વાતો કહી રહી છે. પ્રચાર દરમિયાન ભાજપ ગુજરાત વિકાસ મોડલની વાતો કરે છે તો આમ આદમી પાર્ટી દિલ્હી મોડલની વાતો કરે છે. ચૂંટણી નજીક આવતા ભાજપ અને આમ આદમી પાર્ટી રાજ્યોના મોડલને લઈ એકબીજા પર રાજનીતિ કરી રહી છે. ટ્વિટર પર ભાજપે દિલ્હી મોડલ અને ગુજરાત મોડલની તુલના કરી છે.

ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે - ભાજપ

ટ્વિટર પર ભાજપે અનેક ફોટો ટ્વિટ કર્યા છે જેમાં ગુજરાત મોડલ અને દિલ્હી મોડલ વચ્ચે તુલના કરવામાં આવી રહી છે. એક ફોટોમાં વાયુ પ્રદૂષણ બતાવવામાં આવ્યું છે જ્યારે બીજા ફોટામાં સ્વચ્છ ગુજરાતની વાતો કરવામાં આવી છે. ભાજપે લખ્યું છે કે AAPના શાસનમાં દિલ્હી ઝેરી હવાથી રૂંધાઈ રહ્યું છે જ્યારે ભાજપના શાસનમાં ગુજરાત વિકાસનો શ્વાસ લઈ રહ્યો છે.

સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ

વધતા પ્રદૂષણને લઈ બીજી એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં દિલ્હી મોડલ જ્યાં શ્વાસ લેવી પણ જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે આપણાં ગુજરાત મોડલના અનેક શહેરો સ્વચ્છ શહેરોની યાદીમાં સામેલ છે.

દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ

શિક્ષણ મુદ્દાને લઈને પણ ભાજપે ટ્વિટ કરી હતી. ગુજરાતના શિક્ષણ મુદ્દે ભાજપે લખ્યું કે ગુજરાતના શિક્ષણ મોડેલે દિલ્હીને ચટાડી ધુળ, દિલ્હીને પાછળ છોડીને શિક્ષણમાં ગુજરાતની આગેકૂચ.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.