Gandhinagarમાં TET-TAT ઉમેદવારો સાથે થયેલા ગેરવર્તનની Congress અને AAPએ કરી ટીકા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-22 12:34:24

ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત આ અંગે રજૂઆત કરવા ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારો સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તે લોકો આતંકવાદીઓ હોય. કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો શિક્ષણ સચિવને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર નિંદનિય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતના વર્તન થયું તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી છે. 

શિક્ષણ સચિવ સાથે વાત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવિ શિક્ષકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી છે. 

આપ અને કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનની કરી નિંદા  

ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ નિંદનીય છે. ગુજરાત ભાજર સરકાર યુવાનોનો અવાજ સાંભળવાને બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી છે! યુવાનોની ધીરજ તૂટે તે પહેલા સરકારે નિંદ્રામાંથી જાગીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું જેમાં લખવામાં આવ્યું કે ભાજપ સરકારનું રાજ છે એટલે તાનાશાહી અપાર છે. ભાજપનો કે ભાજપની યોજનાનો વિરોધ કરશો તો આવો અત્યાચાર સહન કરવો પડશે. મહત્વનું છે કે જમાવટની ટીમ જ્યારે ગાંધીનગર પહોંચી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.