Gandhinagarમાં TET-TAT ઉમેદવારો સાથે થયેલા ગેરવર્તનની Congress અને AAPએ કરી ટીકા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-22 12:34:24

ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત આ અંગે રજૂઆત કરવા ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારો સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તે લોકો આતંકવાદીઓ હોય. કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો શિક્ષણ સચિવને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર નિંદનિય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતના વર્તન થયું તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી છે. 

શિક્ષણ સચિવ સાથે વાત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવિ શિક્ષકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી છે. 

આપ અને કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનની કરી નિંદા  

ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ નિંદનીય છે. ગુજરાત ભાજર સરકાર યુવાનોનો અવાજ સાંભળવાને બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી છે! યુવાનોની ધીરજ તૂટે તે પહેલા સરકારે નિંદ્રામાંથી જાગીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું જેમાં લખવામાં આવ્યું કે ભાજપ સરકારનું રાજ છે એટલે તાનાશાહી અપાર છે. ભાજપનો કે ભાજપની યોજનાનો વિરોધ કરશો તો આવો અત્યાચાર સહન કરવો પડશે. મહત્વનું છે કે જમાવટની ટીમ જ્યારે ગાંધીનગર પહોંચી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી