Gandhinagarમાં TET-TAT ઉમેદવારો સાથે થયેલા ગેરવર્તનની Congress અને AAPએ કરી ટીકા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-22 12:34:24

ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત આ અંગે રજૂઆત કરવા ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારો સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તે લોકો આતંકવાદીઓ હોય. કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો શિક્ષણ સચિવને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર નિંદનિય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતના વર્તન થયું તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી છે. 

શિક્ષણ સચિવ સાથે વાત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવિ શિક્ષકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી છે. 

આપ અને કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનની કરી નિંદા  

ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ નિંદનીય છે. ગુજરાત ભાજર સરકાર યુવાનોનો અવાજ સાંભળવાને બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી છે! યુવાનોની ધીરજ તૂટે તે પહેલા સરકારે નિંદ્રામાંથી જાગીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું જેમાં લખવામાં આવ્યું કે ભાજપ સરકારનું રાજ છે એટલે તાનાશાહી અપાર છે. ભાજપનો કે ભાજપની યોજનાનો વિરોધ કરશો તો આવો અત્યાચાર સહન કરવો પડશે. મહત્વનું છે કે જમાવટની ટીમ જ્યારે ગાંધીનગર પહોંચી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.