સુરત જિલ્લામાં કોંગ્રેસ અને આપમાં ભંગાણ, AAPના રાજેન્દ્ર સોલંકી, કોંગ્રેસના હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા


  • Published By :
  • Published Date : 2023-10-29 19:42:03

દેશના તમામ રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ અને કાર્યકરો સતત પક્ષ પલટો કરી રહ્યા છે. આજે સુરતના વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.  ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.કોંગ્રેસ અને આપના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.ત્યારે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.


કોણ જોડાયું ભાજપમાં?


ભાજપના આ કાર્યક્રમમાં  બારડોલી વિધાનસભા 2022 AAPના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી તેમજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ નેતા હરીશ વસાવા પણ ભાજપમાં જોડાયા હતા.  આ તમામ કોંગ્રેસી નેતાઓ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. સી આર પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા મન કી બાત કાર્યક્રમમાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી ટાણે જ કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડતા સુરત જિલ્લામાં રાજકીય ભૂકંપ આવ્યો હતો.


મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો


સીઆર પાટીલ માંગરોળના વાંકલ ખાતે યોજાયેલ કોસંબા APMC ના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં સીઆર પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા.કોસંબા APMCના અભિવાદન સમારોહ બાદ સી.આર.પાટીલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો.ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ,મંત્રી કુંવરજી હળપતિ,માંગરોળ ધારા સભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી