પેપર લીક મુદ્દાને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:43:05

ગુજરાતમાં આવેલી અનેક યુનિવર્સિટીમાં પેપર ફૂટતા રહે છે. પેપર લીક થવાને કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. પેપર કાંડને લઈ કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. ભાજપ પર પ્રહાર કરતા પવન ખેરાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે કેન્દ્રમાં મોદી સરકાર હોય, આખા દેશના રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યાં પણ ભાજપની સરકારો છે તે ભારતના યુવાનોના ભવિષ્યને શરમજનક રીતે કચડી રહી છે.

 

હજી સુધી કેટલા પેપર લીક થયા તે કોંગ્રેસે યાદ કરાવ્યા 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આ કૌભાંડ એટલું વ્યાપક છે કે અત્યાર સુધીમાં 14 ભરતી પરીક્ષાઓ લીક થઈ છે, 34 ભરતી પરીક્ષામાં ગોટાળો થયો છે અને શાળા કોલેજોની પરીક્ષાઓના પેપર લીકની ગણતરી પણ નથી. પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે.

       

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા અનેક પ્રહાર

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ત્યારે પવન ખેડાએ કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓના પેપર વારંવાર લીક થયા પણ આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ના કરી શું ભાજપને આ વાતનું ગૌરવ છે?

   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.