પેપર લીક મુદ્દાને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:43:05

ગુજરાતમાં આવેલી અનેક યુનિવર્સિટીમાં પેપર ફૂટતા રહે છે. પેપર લીક થવાને કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. પેપર કાંડને લઈ કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. ભાજપ પર પ્રહાર કરતા પવન ખેરાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે કેન્દ્રમાં મોદી સરકાર હોય, આખા દેશના રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યાં પણ ભાજપની સરકારો છે તે ભારતના યુવાનોના ભવિષ્યને શરમજનક રીતે કચડી રહી છે.

 

હજી સુધી કેટલા પેપર લીક થયા તે કોંગ્રેસે યાદ કરાવ્યા 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આ કૌભાંડ એટલું વ્યાપક છે કે અત્યાર સુધીમાં 14 ભરતી પરીક્ષાઓ લીક થઈ છે, 34 ભરતી પરીક્ષામાં ગોટાળો થયો છે અને શાળા કોલેજોની પરીક્ષાઓના પેપર લીકની ગણતરી પણ નથી. પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે.

       

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા અનેક પ્રહાર

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ત્યારે પવન ખેડાએ કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓના પેપર વારંવાર લીક થયા પણ આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ના કરી શું ભાજપને આ વાતનું ગૌરવ છે?

   




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"