પેપર લીક મુદ્દાને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:43:05

ગુજરાતમાં આવેલી અનેક યુનિવર્સિટીમાં પેપર ફૂટતા રહે છે. પેપર લીક થવાને કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. પેપર કાંડને લઈ કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. ભાજપ પર પ્રહાર કરતા પવન ખેરાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે કેન્દ્રમાં મોદી સરકાર હોય, આખા દેશના રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યાં પણ ભાજપની સરકારો છે તે ભારતના યુવાનોના ભવિષ્યને શરમજનક રીતે કચડી રહી છે.

 

હજી સુધી કેટલા પેપર લીક થયા તે કોંગ્રેસે યાદ કરાવ્યા 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આ કૌભાંડ એટલું વ્યાપક છે કે અત્યાર સુધીમાં 14 ભરતી પરીક્ષાઓ લીક થઈ છે, 34 ભરતી પરીક્ષામાં ગોટાળો થયો છે અને શાળા કોલેજોની પરીક્ષાઓના પેપર લીકની ગણતરી પણ નથી. પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે.

       

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા અનેક પ્રહાર

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ત્યારે પવન ખેડાએ કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓના પેપર વારંવાર લીક થયા પણ આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ના કરી શું ભાજપને આ વાતનું ગૌરવ છે?

   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.