ગુજરાતની નદીઓને લઈ કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, ગુજરાતની 13 નદીઓનું પાણી ન્હાવાલાયક પણ નથી!


  • Published By :
  • Published Date : 2023-04-06 11:17:38

જળને જીવન માનવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની નદીમાં પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતની એટલી નદીઓ એવી છે જેનું પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ન્હાવાલાયક પણ નથી. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદુષિત નદીઓ માટે કેમ આટલી ઉદાસીન છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.


પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે કર્યા પ્રહાર 

વિકાસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતની સાબરમતી,ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદુષિત નદીઓ છે. જ્યારે મીંઢોશા, માહી, શેઢી, ભોગવો, ભૂખી, ખાડી, દમણગંગા, તાપી નદીનો પણ પ્રદુષિત નદીઓના લિસ્ટમાં સમાવેશ થાય છે. ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની પ્રદુષિત નદીઓેને લઈ સરકારને સવાલ કર્યા હતા. 

 

25માંથી 13 નદીઓનું પાણી ન્હાવા લાયક નથી!

આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠ્યો હતો. આ વાતનો આધાર લઈ કોંગ્રેસે કહ્યું કે લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં નદીઓનાં પ્રદુષણ ઘટાડવા અંગે એક રુપિયો પણ વાપર્યો નથી. ભારતની 603 નદીઓમાં પાણી શુદ્ધ નથી. ગુજરાતની સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી ન્હાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવાલાયક પણ નથી.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.