ગુજરાતની નદીઓને લઈ કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, ગુજરાતની 13 નદીઓનું પાણી ન્હાવાલાયક પણ નથી!


  • Published By :
  • Published Date : 2023-04-06 11:17:38

જળને જીવન માનવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની નદીમાં પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતની એટલી નદીઓ એવી છે જેનું પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ન્હાવાલાયક પણ નથી. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદુષિત નદીઓ માટે કેમ આટલી ઉદાસીન છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.


પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે કર્યા પ્રહાર 

વિકાસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતની સાબરમતી,ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદુષિત નદીઓ છે. જ્યારે મીંઢોશા, માહી, શેઢી, ભોગવો, ભૂખી, ખાડી, દમણગંગા, તાપી નદીનો પણ પ્રદુષિત નદીઓના લિસ્ટમાં સમાવેશ થાય છે. ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની પ્રદુષિત નદીઓેને લઈ સરકારને સવાલ કર્યા હતા. 

 

25માંથી 13 નદીઓનું પાણી ન્હાવા લાયક નથી!

આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠ્યો હતો. આ વાતનો આધાર લઈ કોંગ્રેસે કહ્યું કે લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં નદીઓનાં પ્રદુષણ ઘટાડવા અંગે એક રુપિયો પણ વાપર્યો નથી. ભારતની 603 નદીઓમાં પાણી શુદ્ધ નથી. ગુજરાતની સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી ન્હાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવાલાયક પણ નથી.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.