ગુજરાતની નદીઓને લઈ કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, ગુજરાતની 13 નદીઓનું પાણી ન્હાવાલાયક પણ નથી!


  • Published By :
  • Published Date : 2023-04-06 11:17:38

જળને જીવન માનવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની નદીમાં પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતની એટલી નદીઓ એવી છે જેનું પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ન્હાવાલાયક પણ નથી. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદુષિત નદીઓ માટે કેમ આટલી ઉદાસીન છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.


પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે કર્યા પ્રહાર 

વિકાસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતની સાબરમતી,ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદુષિત નદીઓ છે. જ્યારે મીંઢોશા, માહી, શેઢી, ભોગવો, ભૂખી, ખાડી, દમણગંગા, તાપી નદીનો પણ પ્રદુષિત નદીઓના લિસ્ટમાં સમાવેશ થાય છે. ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની પ્રદુષિત નદીઓેને લઈ સરકારને સવાલ કર્યા હતા. 

 

25માંથી 13 નદીઓનું પાણી ન્હાવા લાયક નથી!

આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠ્યો હતો. આ વાતનો આધાર લઈ કોંગ્રેસે કહ્યું કે લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં નદીઓનાં પ્રદુષણ ઘટાડવા અંગે એક રુપિયો પણ વાપર્યો નથી. ભારતની 603 નદીઓમાં પાણી શુદ્ધ નથી. ગુજરાતની સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી ન્હાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવાલાયક પણ નથી.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે